SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ઉપકાર, મૌન, શયન, સદાચાર આદિ અનેક વિષયો બાબત વચનો પ્રકાશ્યાં છે. આ વચનો ટૂંકા, માર્મિક અને વિચારપ્રૌઢતા દર્શાવનારાં છે. જીવના દોષોની નિવૃત્તિ માટે આ નીતિવચનો અત્યંત ઉપયોગી છે અને દરેક વ્યક્તિએ આચરવા યોગ્ય છે. આ નીતિવચનો વિષે શ્રીમદ્ જણાવે છે કે – વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. વચનામૃત શ્રીમદે વીસમે વર્ષે ‘વચનામૃત' શીર્ષક નીચે ધાર્મિક વિષયોની મુખ્યતા રાખી, સૂત્રાત્મક ઉપદેશરૂપે ૧૨૬ બોલ લખ્યા છે. આ વચનોમાં તેમણે સત્પરુષનો સમાગમ, નિયમ, મનન, વર્તન, આત્મસ્વરૂપ, આત્મવિચાર, જ્ઞાની પુરુષ, ધર્મ, આજ્ઞારાધન, મૂચ્છ, કૃતજ્ઞતા, વિદ્યા, સ્વાદત્યાગ, અભિનિવેશ, સમ્યગ્દર્શન આદિ વિષે દિલમાં વસી જાય તેવી સચોટ વાણીમાં ઉપદેશ આપ્યો છે. પ્રકીર્ણ બોધવચનો શ્રીમદે જુદાં જુદાં શીર્ષક નીચે નાનાં નાનાં વાક્યરૂપે બોધવચનો લખ્યાં છે. “ઉપયોગ ત્યાં ધર્મ છે' (આંક-૬) એ શીર્ષક નીચે તેમણે તત્ત્વજ્ઞાન આદિ વિષે સુવાક્યો લખ્યાં છે. ‘નિત્યસ્મૃતિ' (આંક-૭)માં વ્યક્તિએ નિરંતર ખ્યાલમાં રાખવા યોગ્ય ૧૦ વચનો આપ્યાં છે. તેમાં ધ્યાન ધરવાનો, વ્યવહારકામને વિચારવાનો, પ્રમાદ ન કરવાનો, નિર્લેપ રહેવાનો, કાર્યસિદ્ધિ કરવાનો આદિ ઉપદેશ છે. “સહજપ્રકૃતિ' (આંક-૮)ના ૧૯ બોલોમાં પરહિત, સુખ-દુઃખ, ક્ષમા, નમ્રતા, સજ્જનતા, વિવેક, દ્વેષભાવ, જિતેન્દ્રિયતા, ગંભીરતા, વિદેહી દશા, ભક્તિ, પરનિદા, દુર્જનતા આદિ વિષે બોધ છે. પ્રશ્નોત્તર' (આંક-૯)માં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૫૫ (આંક-૨૧-૧૬) ૨- એજન, પૃ.૧૫૫-૧૫૯ (આંક-૨૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy