SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) જાતિસ્મરણજ્ઞાન જાતિસ્મરણજ્ઞાન એટલે પોતાના પૂર્વના એક અથવા વધુ ભવોનું જ્ઞાન. જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદનો એક પેટા પ્રકાર છે. પોતાના બાળપણમાં કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને યુવાન કે વૃદ્ધ અવસ્થામાં કોઈ પ્રસંગે તે ગામાદિનું સ્મરણ થાય, ત્યારે તે વખતે તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય તે પ્રકારે જાતિસ્મરણ જ્ઞાનવાનને પૂર્વના ભવનો ભાવ સ્મૃતિપટમાં આલેખાયેલો સ્વાનુભવગોચર થાય છે. શ્રીમદ્રને આવું જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું હતું. તે પ્રગટ થવાનો પ્રસંગ તેમની સાત વર્ષની વયે એટલે કે વિ.સં. ૧૯૩૧માં બન્યો હતો અને પછી તે જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો થયો હતો. શ્રીમદે પોતાની “સમુચ્ચયવયચર્યાની નોંધમાં કે અન્ય લખાણોમાં પોતાના જાતિસ્મરણજ્ઞાન વિષે અથવા ક્યા પ્રસંગે તે જ્ઞાનની શરૂઆત થઈ તે વિષે કોઈ સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી, પરંતુ તે લખાણોમાં ક્યાંક ક્યાંક આડકતરાં સૂચનો જોવાં મળે છે. કચ્છના વણિકભાઈ શ્રી પદમશી ઠાકરશીએ શ્રીમ કેવી રીતે જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું હતું તે પ્રસંગ નોંધ્યો છે. તેમણે મુંબઈની ભૂલેશ્વરની શાકમાર્કેટ પાસેના દિગંબર મંદિરમાં શ્રીમન્ને તેમના જાતિસ્મરણજ્ઞાન વિષે પૂછ્યું હતું, ત્યારે શ્રીમદે પોતાના જીવનમાં બનેલો એ પ્રસંગ સ્વમુખે જણાવ્યો હતો. વવાણિયામાં શ્રી અમીચંદભાઈ નામના એક સગૃહસ્થ શ્રીમદ્ પ્રત્યે ખૂબ પ્રેમથી વર્તતા હતા. શ્રીમદ્ સાત વર્ષના હતા ત્યારે એક દિવસ શ્રી અમીચંદભાઈ સર્પ કરડવાથી ગુજરી ગયા. આ વાત સાંભળી શ્રીમદે તેમના દાદાને પૂછ્યું કે ગુજરી જવું એટલે શું? ગુજરી જવાનો અર્થ કહેવાથી બાળક ભયભીત થશે એમ વિચારી શ્રીમદ્દનું ધ્યાન બીજે દોરવા દાદાએ શ્રીમદ્દ જમવા બેસવા કહ્યું અને તે વાત ટાળવા તેમણે અનેક આડીઅવળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy