SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ કહે છે. અનેક પ્રદેશાત્મક દ્રવ્ય અર્થાત્ અસ્તિકાય પાંચ છે - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ. આ પાંચે દ્રવ્યોને પંચાસ્તિકાય કહે છે. દ્રવ્યાનુયોગના પરમાર્થરંગથી રંગાયેલા શ્રીમદે વિ.સં. ૧૯૫રના શ્રાવણ માસમાં પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવતાં ત્રણેક પત્રો લખ્યા હતા. વિ.સં. ૧૯૫૩માં શ્રીમદે આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત પ્રસિદ્ધ ગ્રંથ “પંચાસ્તિકાય'ના બને અધ્યાયનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. પ્રથમ અધ્યાયમાં ૧૦૪ ગાથા અને દ્વિતીય અધ્યાયમાં ૬૯ ગાથા એમ કુલ ૧૭૩ ગાથામાંથી ૧૬ ગાથાનો અનુવાદ મળતો નથી. પહેલાં અધ્યાયમાં મંગલાચરણ, દ્રવ્યનું લક્ષણ, દ્રવ્ય-પર્યાયનું સ્વરૂપ, પાંચ અસ્તિકાયનું સ્વરૂપ, જીવ-કર્મનો સંબંધ આદિનું નિરૂપણ છે. બીજા અધ્યાયમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ, નવ તત્ત્વ, જીવના પ્રકાર આદિનું નિરૂપણ છે. શ્રીમદે ક્યારેક ‘પંચાસ્તિકાય'ની મૂળ ગાથાઓનો ભાવાનુવાદ કર્યો છે. આ અનુવાદ કરતી વખતે ક્યારેક એક વાત બે ગાથા સુધી ચાલતી હોય તો તેમણે તે બન્ને ગાથાનો સાથે અનુવાદ આપ્યો છે. શ્રીમન્ને વિશ્વતત્ત્વો વિષેનો બોધ હૃદયગત થયો હોવાથી તેમનો અનુવાદ મૂળ કૃતિ જેવો સફળ બન્યો છે. આચાર્યશ્રી કુંદકુંદદેવ ગુજરાતી ગદ્યમાં લખતા હોય તે જ પ્રકારે આ અનુવાદ લખાયો છે. જેમને ભાષા ઉપરનું પ્રભુત્વ, વિષયનું સ્વામિત્વ અને ભાવનું પૂર્ણત્વ છે એવા શ્રીમદે, મૂળ લખાણ છે કે અનુવાદ, તેની ખબર ન પડે એવા અનુવાદનો આદર્શ નમૂનો રજૂ કર્યો છે. આ અનુવાદ શ્રીમદ્ભો આચાર્યશ્રી કુંદકુંદદેવ અને તેમના મહાન ગ્રંથ પ્રત્યેનો પરમ પ્રેમ દર્શાવે છે. દ્રવ્યસંગ્રહની કેટલીક ગાથાઓનું ભાષાંતર વિ.સં. ૧૯૫૩માં શ્રીમદે સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રકૃત ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૮૪-૫૮૫ (આંક-૭૬૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy