SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ આ લક્ષ થવા સુખદાયક એવાં શાસ્ત્ર પ્રબોધ્યાં છે. જિનપ્રવચન એવું તો દુર્ગમ્ય છે કે તેનો પાર પામતાં પ્રખર બુદ્ધિશાળી પણ થાકી જાય છે, તેથી આ શાસ્ત્રોનું રહસ્ય પામવા માટે શ્રી સદ્ગુરુનું પરમ અવલંબન સુગમ અને સુખખાણરૂપ ઉપાય છે. અત્યંત ભક્તિપૂર્વક જિનચરણની ઉપાસના કરવી, મુનિજનોના સત્સંગમાં અતિ રતિ ધરવી, મન-વચન-કાયાના યોગનો યથાશક્તિ સંયમ કરવો, અતિશય ગુણપ્રમોદ ધારવો, અંતર્મુખ યોગ રાખવો. આમ કરનારને શ્રી સદ્ગુરુ દ્વારા જિન દર્શનના અનુયોગનું રહસ્ય પ્રાપ્ત થાય છે. જેમ ભગવાન દ્વારા માત્ર ત્રિપદીનો બોધ થતાં જ ગણધરોને તે ત્રિપદી ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રગટાવવા લબ્ધિવાક્ય થઈ પડતી, તેમ આખો પ્રવચનસમુદ્ર સદ્ગુરુના એક વાક્યના પરમાર્થરૂપ બિંદુમાં ઊલ્લસી આવે છે અને જીવ શાસ્ત્રસમુદ્રનો પાર પામે છે. ત્યારપછી શ્રીમદ્ અપાત્ર, જઘન્ય-મધ્યમ-ઉત્તમ પાત્ર જીવનું સ્પષ્ટ સ્વરૂપ દર્શાવે છે કે જેને મતિના યોગ વિષયવિકાર સહિત રહ્યા છે અને પરિણામની વિષમતા વર્તે છે, તેને સગુરુયોગ મળ્યો હોય તો તે પણ અયોગરૂપ થઈ પડે છે. મંદ વિષય, સરળતા, આજ્ઞા સહિત સુવિચારણા, કરુણા, કોમળતા આદિ ગુણ છે તે પ્રથમ ભૂમિકા છે. શબ્દાદિ વિષય જેણે રોક્યા છે, સંયમસાધનનો રાગ છે અને જેને આત્મા કરતાં જગત ઈષ્ટ નથી, તે મહાભાગ્યવંત મધ્યમ પાત્ર છે. જેને જીવનની તૃષ્ણા નથી અને મરણનો યોગ પ્રાપ્ત થતાં ક્ષોભ નથી તે માર્ગના મહાપાત્ર છે, લોભને જીતનાર પરમ યોગી છે. શ્રીમદ્ આગળ જણાવે છે કે જેમ મધ્યાહ્ન સૂર્ય સમ પ્રદેશમાં આવે છે ત્યારે સર્વ પદાર્થોની છાયા પોતામાં જ સમાઈ જાય છે, તેમ મન આત્માના સ્વભાવરૂપ સમપ્રદેશમાં આવે છે ત્યારે તે મન આત્મામાં જ સમાઈ જાય છે. મોહવિકલ્પથી સમસ્ત સંસાર ઊપજે છે અને અંતર્મુખ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy