SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ બીજી કડીમાં શ્રીમદ્ દર્શાવે છે કે બહિર્દષ્ટિ જીવોને શરીર અને આત્મા અજ્ઞાન વડે એકરૂપે ભાસે છે અને તેથી ક્રિયાની પ્રવૃત્તિ પણ તેવી જ ભ્રાંતિ સહિત થાય છે. ઉત્પત્તિ, રોગ, શોક, દુઃખ, મૃત્યુ તે દેહનો સ્વભાવ હોવા છતાં અજ્ઞાનવશે તે આત્માનો સ્વભાવ ગણવામાં આવે છે. એવો જે અનાદિનો દેહ અને આત્માને એકરૂપ માનવાનો મિથ્યાત્વભાવ છે, તે જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે. તે જીવને જડ અને ચૈતન્યનો ભિન્ન સ્વભાવ સ્પષ્ટપણે ભાસે છે અને ક્રમે કરીને મોક્ષપદ પ્રાપ્ત થતાં બન્ને દ્રવ્યો નિજ નિજ રૂપે સ્થિત થાય છે. આમ, પરમ નિગ્રંથમાર્ગની ઉદ્ઘોષણા કરતાં આ કાવ્યમાં સરળ અને સ્પષ્ટ ભાષામાં શ્રીમદે જૈન ધર્મની ઊંડી તત્ત્વવિચારણા રજૂ કરી છે. ઇચ્છે છે જે જોગી જન શ્રીમા અંતિમ સંદેશા તરીકે સુપ્રસિદ્ધ ‘ઇચ્છે છે જે જોગી જન’ શબ્દોથી શરૂ થતું ચૌદ કડીનું કાવ્ય તેમણે પોતાના દેહવિલયના દસેક દિવસ પૂર્વે, વિ.સં. ૧૯૫૭ના ચૈત્ર સુદ ૯ના દિવસે, સ્વહસ્તે ન લખતાં શ્રી ધારશીભાઈ પાસે લખાવ્યું હતું. મુમુક્ષુઓને ભવસાગરમાં દીવાદાંડીની જેમ અપૂર્વ માર્ગદર્શકરૂપ થાય એવા આ કાવ્યમાં શ્રીમદે સાધનામાર્ગનું રહસ્ય પરમ આશયગંભીરતાથી પ્રકાશ્યું છે. શ્રીમદે પોતાના અમૂલ્ય અંતિમ સંદેશામાં સાધ્ય, સાધન, સાધક, સિદ્ધિ એ ચાર બાબતો વિષે સ્પષ્ટતા કરી છે. શ્રીમદ્ જણાવે છે કે જોગી જનો જે અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ આત્મપદને ઇચ્છે છે તે સયોગી જિનને વિષે સદાય પ્રગટપણે પ્રકાશિત છે. આત્મસ્વભાવ અગમ્ય છે, તેથી જિનપદના આધારથી તે શુદ્ધ આત્મસ્વરૂપપદનો પ્રકાર દર્શાવ્યો છે. જિનપદ અને નિજપદની એકતા છે, તેમાં કાંઈ ભેદભાવ નથી. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૯-૬૬૦ (આંક-૯૫૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy