SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ સર્વાર્પણપણે સદ્ગુરુની આજ્ઞા આરાધવાથી સર્વ કર્મબંધનો તૂટી જાય છે. આમ, આ કાવ્યમાં શ્રીમદે સદ્ગુરુની મહત્તા દર્શાવી, આત્મકલ્યાણ સાધવાનો સરળ અને સચોટ માર્ગ દર્શાવ્યો છે. વિષયના સુબોધ નિરૂપણ યુક્ત આ કાવ્ય હિંદી ભાષા ઉપરના શ્રીમન્ના પ્રભુત્વની અને તેમના નૈસર્ગિક કવિત્વની પ્રતીતિ કરાવે છે. આ કાવ્યની પ્રથમ પંક્તિનો હેતુ સમજાવતાં શ્રીમદ્ વિ.સં. ૧૯પપના અષાઢ વદ ૮ના પત્રમાં શ્રી સુખલાલ છગનલાલને લખે છે – "बिना नयन पावे नहीं बिना नयनकी बात' એ વાક્યનો હેતુ મુખ્ય આત્મદષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાર્થે એ વાક્ય છે. સમાગમના યોગે સ્પષ્ટાર્થ સમજાવા યોગ્ય છે. ..... બિના નયન' આદિ વાક્યનો સ્વકપનાથી કંઈ પણ વિચાર ન કરતાં, અથવા શુદ્ધ ચૈતન્યદષ્ટિ પ્રત્યેનું વલણ તેથી વિક્ષેપ ન પામે એમ વર્તવું યોગ્ય છે.” હે પ્રભુ! હે પ્રભુ! શું કહું વિ.સં. ૧૯૪૭ના ભાદરવા માસમાં શ્રીમદ રાળજમાં ચાર કાવ્યોનું સર્જન કર્યું હતું, (૧) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, (૨) યમનિયમ સંજમ આપ કિયો, (૩) જડ ભાવે જડ પરિણમે, (૪) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. આ કૃતિઓ કદમાં નાની છે, પણ તેમાં આશય ઘણો ગૂઢ છે. શબ્દ થોડા છે, પણ અર્થ બહોળા છે. સર્વ આત્મહિતેચ્છુઓએ સ્વકલ્યાણાર્થે તે કાવ્યો સમજવા જેવાં છે. વીશ દોહરા' તરીકે સુપ્રસિદ્ધ હે પ્રભુ! હે પ્રભુ! શું ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૩૬ (પત્રાંક-૮૮૩) ૨- એજન, પૃ.૨૯૫-૨૯૬ (આંક-૨૬૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy