SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સર્જાયેલો છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે ‘ગુરુચરણને ‘ઉપ’-સમીપે ‘નિષદ્'-બેસી તત્ત્વનું શ્રવણ કરતા શિષ્યને પ્રાપ્ત થતી ઉપનિષદોનું સ્મરણ કરાવે એવી, આ ગુરુશિષ્યસંવાદથી આત્મસિદ્ધિ પ્રકાશતી આત્મસિદ્ધિ ખરેખર! આત્માની અનુપમ ઉપનિષદ્-‘આત્મોપનિષદ્' છે; સર્વ દર્શનને સન્માન્ય એવી આત્માની અનન્ય ગીતા છે. પરમ બ્રહ્મવિદ્યાના પારને પામેલા પરંબ્રહ્મનિષ્ઠ શ્રીમદ્ જેવા આષદ્રષ્ટા મહાકવિ-બ્રહ્માએ સર્જેલી આ આત્મસિદ્ધિ બ્રહ્મવિદ્યાનો અર્ક (essence) છે; બ્રહ્મવિદ્યાના શબ્દબ્રહ્મનો છેલ્લો શબ્દ એવી આ આત્મસિદ્ધિ મુમુક્ષુઓને આત્માની અમૃતાનુભૂતિનો અમૃતકુંભ છે.'૧ — શ્રીમદે આગમના અર્કને તર્કભરપૂર, સારગ્રાહી અને સૂત્રાત્મક શૈલીમાં રજૂ કર્યો હોવાથી તેનો ગૂઢાર્થ સમજવા તેના વિસ્તારની આવશ્યકતા રહે છે. તેના વિવેચન દ્વારા તેમાં રહેલા સૂક્ષ્મ ભાવો પ્રગટ થાય તો મુમુક્ષુઓને વિશેષ ઉપકારક બને એ સ્વાભાવિક છે. મુમુક્ષુઓના સદ્ભાગ્યે શ્રીમદે કેટલાક પત્રોમાં અમુક ગાથાઓનું વિવેચન કર્યું છે, જે તે ગાથાઓનાં રહસ્યને સમજવા માટે પ્રબળ અવલંબનભૂત અને મહાલાભનું કારણ બન્યા છે. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની સર્વ ગાથાઓને આવરી લેતું વિવેચનકાર્ય સૌ પ્રથમ શ્રી અંબાલાલભાઈએ કર્યું હતું. આ અર્થ ઉપર શ્રીમદ્ દૃષ્ટિ કરી ગયા હોવાથી તેનું મૂલ્ય ઘણું છે. તે ઉપરાંત શ્રીમદે જેમને ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની એક નકલ મોકલી હતી તે શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈ ઝવેરીએ પણ શ્રીમદ્દ્ની હયાતી દરમ્યાન તેના અર્થ કર્યા હતા (જેનો ઉલ્લેખ શ્રીમદ્દ્ના પત્રોમાં જોવા મળે છે), પણ તે હાલ અપ્રાપ્ય છે. આમ, શ્રીમદ્ની હયાતી દરમ્યાન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના બે ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૬૨૫-૬૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy