SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ પદની પોતાની શંકાનું નિરાકરણ કરવા શ્રીગુરુને વિનંતી કરે છે. મોક્ષનો સદુપાય જાણવાની તાલાવેલીવાળા સુશિષ્યને શ્રીગુરુ આશીર્વાદ આપે છે અને તેની શંકાઓનું વિગતવાર સમાધાન આપતાં કર્મબંધનાં કારણો તથા કર્મને હણવાનો ઉપાય બતાવી યથાર્થ મોક્ષમાર્ગ સમજાવે છે. તેઓ તટસ્થતાથી જણાવે છે કે દર્શનમોહ અને ચારિત્રમોહને દૂર કરી, શુદ્ધાત્માને પામવાના આ મોક્ષમાર્ગને જીવ ગમે તે મત કે દર્શનમાં, ગમે તે જાતિ કે વેષમાં આરાધે તોપણ અવશ્ય મોક્ષને પામે. ત્યારપછી શ્રીગુરુ આ મોક્ષમાર્ગની પ્રાપ્તિનો સંપૂર્ણ ક્રમ પ્રકાશી, સર્વ જ્ઞાનીઓની સાક્ષી આપી, મૌન થઈ, સહજ સમાધિમાં લીન થાય છે. આ પ્રમાણે શ્રીમદે ગુરુશિષ્યસંવાદ દ્વારા આત્માનાં છ પદની તલસ્પર્શી મીમાંસા કરી, તે છ પદની અપૂર્વ શ્રદ્ધા કરાવી છે. છ દર્શનોના મતભેદની ભાંજગડમાં પડ્યા વિના, આત્માર્થી જીવનું લક્ષ સ્વ તરફ દોરાય અને તેને શુદ્ધાત્મતત્ત્વનો યથાર્થ બોધ થાય તે અર્થે દર્શનોનો નામોલ્લેખ કર્યા વિના, ષડ્રદર્શન અંતર્ગત આત્મા સંબંધી વિચારણાની સમ્યક રજૂઆત કરી છે. ગાથા ૧૧૯ થી ૧૨૭માં શિષ્યને થયેલ બોધબીજની પ્રાપ્તિનું કથન છે. ષપદનું ભવ્ય ઉદ્દબોધન કરતા શ્રીગુરુના ઉપદેશામૃતના યથાર્થ અનુસરણથી સુશિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે અને પરમોલ્લાસથી તે પોતાના હૃદયમાં પ્રગટેલો પપદનો અનુભવાત્મક બોધ સંક્ષેપમાં વ્યક્ત કરે છે. અમાપ કરુણાસિંધુ શ્રીગુરુએ પોતા ઉપર કરેલ અનન્ય ઉપકાર માટે શિષ્ય તેના અંતરમાંથી નીકળતા શ્રીગુરુની સ્તુતિરૂપ અનેરા ઉગારોમાં પોતાનો અહોભાવ દર્શાવે છે અને શ્રીગુરુની આજ્ઞામાં વર્તવાનો દઢ સંકલ્પ કરી ગુરુચરણે સર્વાર્પણ કરે છે. અંતમાં શ્રીમદે આ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' રૂપ મંદિરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy