SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સ્ત્રીઓની દશા ન સુધરવાનાં કારણોમાં બાળલગ્ન, કજોડાં, વહેમ વગે૨ે જણાવી, બાળલગ્નની અનિષ્ટતા વિચારવા વિનંતી કરી છે. તેઓ જણાવે છે કે સ્ત્રીનીતિબોધક'ના ત્રણ ભાગ લખવા વિચાર રાખી, તેમણે આ પ્રથમ ભાગ બહાર પાડ્યો છે. આ પુસ્તકના બીજા બે ભાગ ત્યારપછી લખાયા કે છપાયા જણાતા નથી, પરંતુ પ્રથમ ભાગ ઉપરથી અનુમાન થઈ શકે છે કે બાકીના ભાગ લખાયા હોત તો આ વિષયમાં વિશિષ્ટ ગ્રંથોની પ્રાપ્તિ થઈ હોત. ‘સ્ત્રીનીતિબોધક’માં તત્કાલીન સમાજમાં પ્રચલિત દેશીઓમાં કુલ ૨૪ ગરબીઓ તથા ‘સોધશતક' છે અને તેને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. પ્રથમ ભાગમાં પરમેશ્વરને પ્રાર્થના, પરમેશ્વરને ભજવા, પરમેશ્વરની લીલા, ક્ષણભંગુર દેહ, શાણી માતાએ પુત્રીને આપેલ શિખામણ, વખત નકામો ન ગુમાવવો, ઉદ્યમ તથા ઉદ્યમથી થયેલાં કામો અંગે એમ ૮ ગરબીઓ છે. બીજા ભાગમાં વિદ્યા અને કેળવણીને કેન્દ્રમાં રાખીને વિદ્યા, કેળવણીના ફાયદા, કેળવણી, અભણ સ્ત્રીને ધિક્કાર, સુગ્રંથ વાંચવા, જ્ઞાન વધારવા તથા સારી શીખ સુણવા અંગે એમ ૭ ગરબીઓ છે. ત્રીજા વિભાગમાં સુધરવા, સદ્ગુણ સજવા, સુનીતિ વધારવા, પરપુરુષાગ તથા વ્યભિચારના દોષ અંગે અને સત્ય વિષે ત્રણ એમ કુલ ૮ ગરબીઓ છે. ચોથા વિભાગમાં સદ્ગુણી સ્ત્રીનું ચિત્ર બતાવતી ‘સદ્ગુણી સજ્જની વિષે' નામની ૬૪ પંક્તિની ગરબી છે અને સ્ત્રીઓના નીતિશતક સમાન, ધોળ રાગમાં રચેલું ૧૦૦ કડીવાળું ‘સોધશતક' છે. એમાં તેમનો વિવિધ વિષયો ઉપર હૃદયંગમ સદ્બોધ છે. ‘સ્ત્રીનીતિબોધક’માં માત્ર બે-ત્રણ ચોપડી ભણેલી બહેનોને પણ સમજાય તેવી સરળ, ભાષામાં અને સુંદર શૈલીમાં ઉપયોગી વિષયો નિરૂપાયેલા છે. આ સુમધુર કાવ્યકૃતિઓ ઉત્તમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy