SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ‘એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની પ્રખર શ્રુતશક્તિવાળી બુદ્ધિમત્તા કેવી કુશાગ્ર હતી, એ તો એમની સ્વસમય પરસમયની સૂક્ષ્મ વિવેકમય તીક્ષ્ણ પર્યાલોચના પરથી સ્વયં જણાઈ આવે છે, અને આપણને તાર્કિકશિરોમણિ કવિકુળગુરુ સિદ્ધસેન દિવાકરનું ને સમંતભદ્રસ્વામીનું સહજ સ્મરણ કરાવે છે. એમની દૃષ્ટિવિશાલતા ને હૃદયની સરળતા કેટલી બધી અદ્ભુત હતી અને સર્વ દર્શન પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યસ્થ્યવૃત્તિ કેવી અપૂર્વ હતી, તે તો એમની સર્વદર્શનોની તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે, અને આપણને ષગ્દર્શનવેત્તા મહર્ષિ હરિભદ્રસૂરિની ને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની યાદી તાજી કરે છે. અધ્યાત્મ-યોગ વિષયનો એમનો અનુભવ અભ્યાસ કેટલો બધો ઊંડો હતો અને આત્મજ્ઞાન ધ્યાનની એમની અનુભૂતિ કેવી વિશિષ્ટ હતી, તે તો એમનાં અનુભવરસનિધાન વચનામૃતો પરથી સ્વયં સિદ્ધ થાય છે, અને આપણને મહર્ષિ કુંદકુંદાચાર્યજીનું ને યોગીરાજ આનંદઘનજીનું સ્મરણ પમાડે છે. એમની આત્મભાવના કેવી અનન્ય હતી અને એમનું ભાવિતાત્મપણું કેવું અતિશયવંત હતું, તે તો આત્માની મહાગીતારૂપ એમના વચનામૃતમાં અખંડપણે પ્રવહતી એક આત્મધારા પરથી વ્યંજિત થાય છે, અને આપણને મહર્ષિ અમૃતચન્દ્રાચાર્યજીની અને પૂજ્યપાદસ્વામી આદિની યાદી આપે છે. આમ આ મહાપ્રભાવક શ્રીમમાં તે તે સર્વ મહાસંતોના ગુણોનું અનુપમ સંગમસ્થાન પ્રાપ્ત થતું હોયની! એવો સહજ ભાસ સહૃદય તત્ત્વગવેષકોને થાય છે. ૧ * * * ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy