SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ શૈલી માર્મિક છે. તેમનાં પ્રવાહબદ્ધ અને સચોટ લખાણો ચિત્તને વિચાર કરતું કરે છે. તેમનું મધુર લખાણ હૃદયસ્પર્શી નીવડે છે તથા તેમાં લાઘવનો ગુણ પણ જોવા મળે છે. તેમના પત્રો વાંચતાં મન ઉપર સ્પષ્ટ છાપ પડે છે કે તેમણે એક પણ બિનજરૂરી શબ્દ લખ્યો નથી. તેમનું લખાણ સંક્ષેપમાં હોવા છતાં તેમાં કોઈ અર્થભેદ કે ગેરસમજ થાય, પૂછનારની શંકા બાકી રહી જાય કે વક્તવ્ય અસ્પષ્ટ રહે એવું કશે પણ બન્યું નથી. અનેકાનેક ગૂઢ રહસ્યોનો ઘટસ્ફોટ કરનારા તેમના આ પત્રો વર્તમાનમાં પણ જિજ્ઞાસુઓને ઊઠતી શંકાઓનું નિવારણ કરવાનું અપૂર્વ સામર્થ્ય ધરાવે છે. તેમનાં સાંગોપાંગ સમાધાન જિનકથિત ભાવો સમજવાને નવીન અધ્યાત્મદષ્ટિ અર્પનાર છે. શ્રીમદ્ભા પત્રોમાં તર્કબદ્ધતાથી રજૂ કરેલા વિચારો પ્રતીતિ કરાવે છે કે તેમનું ચિંતન અત્યંત સ્પષ્ટ અને પરિપક્વ હતું. અવનવી છટાવાળા રસાવહ ગદ્યમાં નિરૂપાયેલું તત્ત્વ આફ્લાદક છે અને તેમાં શ્રીમદ્રની અભિવ્યક્તિક્ષમતા સહજ ઝળકે છે. તેઓ તત્ત્વજ્ઞાનનો ઝીણામાં ઝીણો અને ગહનમાં ગહન વિચાર ચોકસાઈથી દર્શાવવા સાથે ભક્તિરસની મસ્તી પણ વિશિષ્ટ શૈલીમાં વ્યક્ત કરે છે. આમ, શ્રીમદ્ભા પત્રોની ગદ્યશૈલી તેમની પારમાર્થિક મહાનતા અને ગદ્યના સમર્થ સર્જક તરીકેની સફળતા પ્રગટ કરે છે. શ્રીમની શૈલી વિષે શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ લખે છે – “આચાર્ય આનંદશંકરના શબ્દોમાં “ગાંધીજી પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચોટ, છતાં તળપદી નહિ કિંતુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન અને અવિદ્વાન સર્વને સરખી રીતે મુગ્ધ કરી મૂકે છે.' એવી ગાંધીજીની શૈલી કરતાં રાયચંદભાઈની શૈલી વધુ પ્રૌઢ, સંસ્કૃત, મિત અને સચોટ – અનુભવના અમૃતમય છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy