SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ તેમ તેમ સમાજ તેમના નિર્મળ, ઉપકારક અસ્તિત્વથી પ્રભાવિત થઈ તેમની અભિમુખ થતો જાય છે અને તેમના જીવનમાંથી અધ્યાત્મની અખૂટ પ્રેરણા મેળવે છે. સર્વ પ્રકારના મતાહ, કદાહ અને અસત્ આગ્રહથી પર રહી, અલ્પ આયુમાં પ્રામાણિક આત્મસાધનાના પ્રબળ પુરુષાર્થ દ્વારા મહાન સિદ્ધિને વરેલા તથા પોતાનાં ઊંડા ચિંતન અને વિશાળ અનુભવોના નિષ્કર્ષરૂપે ઉત્તમ ઉપદેશામૃત પીરસનાર આ સાચા આત્મજ્ઞાની મહાપુરુષનું તત્ત્વજ્ઞાનસભર જીવન સાધકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આ દુષમ કાળમાં મુમુક્ષુ જીવોનું પરમ કલ્યાણ કરનાર અને જેમના યોગે ભવ્યાત્માઓ દુ:સહ્ય સંસારતાપ અને ત્રાસથી મુક્ત થઈ, નિજધામની પરમ શાંતિ અને શાશ્વત સુખને પ્રાપ્ત થાય છે એવા કલ્પવૃક્ષ સમા શ્રીમન્ના વચનાતીત, કલ્પનાતીત, ઇન્દ્રિય-અગોચર, બુદ્ધિ-અગોચર એવા અનંત ગુણોનો મહિમા અપરંપાર છે. ડૉ. ભગવાનદાસ મહેતાએ લખ્યું છે – ખરેખર! આ પુરુષરત્નને પામી ન્યાય ન્યાયપણું પામ્યો, કાવ્ય કાવ્ય બન્યું, અલંકારને અલંકાર સાંપડ્યો, રસમાં સરસતા આવી, કરમાયેલી શ્રુતવલ્લરી નવપલ્લવિત થઈ, યોગ કાતરુ ફલભારથી નમ્ર બન્યો, યુક્તિ આગ્રહમુક્ત થઈ, મુક્તિ જીવન્મુક્તપણે પ્રત્યક્ષ થઈ, ભક્તિમાં શક્તિ આવી, શક્તિમાં વ્યક્તિ આવી, ધર્મમાં પ્રાણ આવ્યો, સંવેગમાં વેગ આવ્યો, વૈરાગ્યમાં રંગ લાગ્યો, સાધુતાને સિદ્ધિ સાંપડી, શાસનનું શાસન ચાલવા લાગ્યું, કલિકાલનું આસન ડોલવા લાગ્યું, દર્શનને સ્વરૂપદર્શન થયું, સ્પર્શજ્ઞાનને અનુકૂળ સ્થાન મળ્યું, ચારિત્ર ચરિતાર્થ બન્યું, વચનને કસોટી માટે શ્રુતચિંતામણિ મળ્યો, અનુભવને મુખ જોવા દર્પણ મળ્યું, તત્ત્વમીમાંસા માંસલ બની, દર્શનવિવાદો દુર્બલ થયા, વાડાના બંધન તૂટ્યાં, અખંડ મોક્ષમાર્ગ વિશ્વમાં વ્યાપી રહ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy