SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ રજૂ કરવા ગાંધીજીને લંડન મોકલવામાં આવ્યા હતા. તે વખત તેઓ પોતાની ઉપર શ્રીમના લખેલા થોડા પત્રો તેમજ પોતે કરેલું ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ગદ્યભાષાંતર વગેરે સાથે લેતા ગયા હતા, તે બંડલ એક બસમાં રહી ગયું હતું. શ્રીમદે ગાંધીજી ઉપર ઘણા પત્રો લખ્યા હતા. એ વાત ચોક્કસ છે કે પત્રોની સંખ્યા સારી એવી હશે, કારણ કે ગાંધીજીએ તેમની આત્મકથામાં નોંધ્યું છે કે તેમનો શ્રીમદ્ સાથેનો પત્રવ્યવહાર છેવટ સુધી ટક્યો હતો. ગાંધીજી શ્રીમદ્રનાં પત્રો તથા કાવ્યો પોતાની સાથે રાખતા અને વારંવાર તેનું ચિંતન કરતા. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓનો વિજય થયો ત્યાં સુધી ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહ્યા અને વિ.સં. ૧૯૭૨માં હિંદ આવ્યા. તે પછી ત્રીસ વર્ષ સુધી તેમણે સત્ય અને અહિંસાના આધારે સત્યાગ્રહ, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ વગેરે પ્રવૃત્તિઓ ઉપાડી, દેશના સ્વાતંત્ર્યસંગ્રામનું સુકાન હાથમાં લીધું. તે દરમ્યાન પણ તેઓ શ્રીમને ઘણી વાર યાદ કરતા. રાજકોટ અને વઢવાણમાં ઉજવાયેલી “શ્રીમદ્ રાજચંદ્ર જયંતી'માં તેમણે હાજરી આપી હતી. અમદાવાદ પાસે કોચરબના આશ્રમમાં અને પછીથી સાબરમતી આશ્રમમાં તેઓ રહેતા હતા ત્યારે કાર્તિક પૂર્ણિમાએ જાહેરસભા ભરી, શ્રીમદ્ભી જયંતી ઊજવતા. શ્રીમન્ની જયંતી નિમિત્તે તેમણે કરેલાં ભાષણોમાં પોતાના ઉપર શ્રીમદે કરેલા ઉપકારનો ઉલ્લેખ કરી, જાહેરમાં તેઓ શ્રીમનું ઋણ સ્વીકારતાં. શ્રી રેવાશંકર જગજીવનભાઈએ ગાંધીજીને પરમશ્રુત પ્રભાવક મંડળ' તરફથી વિ.સં. ૧૯૮૨માં પ્રકાશિત “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના લખવા વિનંતી કરી હતી. ગાંધીજીએ તેનો સ્વીકાર કરી, તેમણે અગાઉ ૧- મહાત્મા ગાંધીજી, “આત્મકથા' ભાગ-૨, પ્રકરણ ધાર્મિક મંથન', પૃ.૧૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy