SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મળ્યા અને શ્રીમન્ના ભાઈ શ્રી મનસુખભાઈ સાથે ગાંધીજીની મૈત્રી થઈ. મુંબઈમાં વકીલાત શરૂ કરવાના ઈરાદે તેમણે ચર્ચગેટમાં ઓફિસ લીધી, સાંતાક્રુઝમાં ઘર લીધું, પણ આફ્રિકામાં કંઈ સુધારો થયો ન હોવાથી અને ત્યાંથી તાર મળતાં વિ.સં. ૧૯૫૮માં ગાંધીજી ફરી આફ્રિકા ગયા. તે વખતે તેઓ શ્રીમન્નાં કેટલાંક પદ અને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' સાથે લેતા ગયા હતા. વિ.સં. ૧૯૬૦માં ગાંધીજીએ ડરબન નજીક ફિનિક્સમાં આશ્રમ સ્થાપ્યો અને કુટુંબ સહિત ત્યાં વસ્યા. વિ.સં. ૧૯૬૨માં તેમણે તથા તેમનાં પત્નીએ ફિનિક્સવાસીઓની હાજરીમાં આજીવન બહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. આ વ્રત અંગીકાર કરવામાં મુખ્યત્વે શ્રીમની અસર હતી તે જણાવતાં ગાંધીજીએ તેમની આત્મકથાના બહ્મચર્ય' પ્રકરણમાં લખ્યું છે કે – “સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉભવ્યો, એ અત્યારે મને ચોખ્ખું નથી ચાદ આવતું. એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું. બહ્મચર્યની દઢતા માટે ગાંધીજી શ્રીમન્ના નીરખીને નવયૌવના' એ બહ્મચર્યવિષયકપદનો ઘણી વખત પાઠ કરતા. વિ.સં. ૧૯૬૨માં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની મુશ્કેલી ઉપરથી મળ્યા. તેમ જ ત્યાર બાદ છાપામાં પણ જોયા. વાત ન માની શકાય તેવી છે. મનમાંથી વીસરી શકાતી નથી. .... ખોટો કે સાચો મને એમનો બહુ જ મોહ હતો અને મારી ઊર્મિ પણ તેમાં ઘણી હતી. તે બધી ગઈ. એટલે હું સ્વાર્થને રડું છું. ત્યાં તમને ખરખરો શો કર ?' – ‘ગાંધીજીનો અક્ષરદેહ', ભાગ-૩, પૃ.૨૧૮ ૧- મહાત્મા ગાંધીજી, ‘આત્મકથા' ભાગ-૩, પ્રકરણ ‘બહ્મચર્ય-૧', પૃ. ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy