SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) લખે છે કે – “શ્રીમદે મોહના ઘરમાં રહીને જ મોહને જર્જરિત કર્યો! એ તો એમના જેવા અપવાદરૂપ અસાધારણ ઓલિયા ધીર પુરુષ જ કરી શકે.” - નિરંતર આત્મશોધનમાં રમમાણ રહેનાર એવા આ સંતશ્રેષ્ઠ પૂર્ણ સચ્ચિદાનંદપદને પામવા માટે આજીવન અખંડ પુરુષાર્થ કર્યો હતો. તેમનું જીવન અધ્યાત્મની અખંડ સાધનારૂપ હતું. સંસારી પ્રસંગો અને પ્રકારોમાં તેઓ ઉદાસીન રહેતા હતા. શ્રીમદે પોતાના આચરણ દ્વારા દર્શાવ્યું કે આત્મસાધના માટે અનિવાર્યતા છે વાસનાઓને સંયમિત કરવાની, કામનાઓને કાબૂમાં લેવાની, કષાયોને નાથવાની, ચિત્તને કેળવવાની અને બહિર્મુખ દષ્ટિને અંતર્મુખ બનાવવાની. શ્રીમન્ના જીવનમાં તત્ત્વનિષ્ઠા અને ધર્મનિષ્ઠાનો સુભગ સમન્વય દૃષ્ટિગોચર થાય છે. તત્ત્વનિષ્ઠા એટલે આંતરિક રીતે પોતાના આત્મતત્ત્વને તથા બાહ્ય રીતે વિશ્વતત્ત્વને જાણવાની સત્યનિષ્ઠા, અર્થાત્ સત્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશને અને વિરાટમાં વિરાટ સ્વરૂપને આત્મસાત્ કરવાની ઉત્કટ ઝંખના અને ધર્મનિષ્ઠા એટલે સત્યનું જે કંઈ દર્શન થયું હોય એને જીવન સાથે એકરૂપ બનાવી લેવાનો અવિરત અને અદમ્ય પુરુષાર્થ. જૈન ધર્મની વિચારસરણીથી શ્રીમદ્દનું આત્મચિંતન સમગ્રપણે રંગાયેલું હોવા છતાં તેમનાં જીવનમાં, કાર્યમાં કે સાહિત્યમાં ક્યાંય કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક સંકીર્ણતા જોવામાં આવતી નથી. શ્રીમદે ષડ્રદર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. વેદાંત દર્શનના વિષયો ઉપર તેમણે લખેલી નોંધો એક સમર્થ અભ્યાસીને શોભે એવી છે. તેઓ પોતાના પરિચયમાં આવેલ મુમુક્ષુઓને હિંદુ ધર્મના ઉત્તમ ગ્રંથો વાંચવાની ભલામણ પણ ૧- મુનિશ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ), “શ્રીમદ્ રાજચંદ્ર - જીવનજ્યોતિ', ત્રીજી આવૃત્તિ, પૃ.૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy