SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ છૂટવાનો માર્ગ, ભક્તિનું માહાત્મ, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનું ફળ, સત્સંગનું માહાત્મ, જ્ઞાનીની વર્તના, પ્રત્યક્ષ સત્પરુષનું માહાભ્ય, સુધારસ, જાતિસ્મરણ જ્ઞાન, કેવળજ્ઞાનની મીમાંસા વગેરે પરમાર્થમાં ઉપયોગી થાય તેવા વિવિધ મુદ્દાઓ વિષેની વિચારણા શ્રી સૌભાગ્યભાઈ ઉપરના પત્રોમાં જોવા મળે છે. વિપુલ પત્રવ્યવહાર ઉપરાંત શ્રી સૌભાગ્યભાઈને શ્રીમદ્ સાથે અનેક દિવસોના પ્રત્યક્ષ સમાગમનો ધન્ય લાભ પણ પ્રાપ્ત થયો હતો. વિ.સં. ૧૯૪૬ના દ્વિતીય ભાદરવા વદમાં અંજાર જતાં (અંજારમાં શ્રી સૌભાગ્યભાઈની દુકાન હતી) શ્રી સૌભાગ્યભાઈ શ્રીમદ્ સાથે મોરબીમાં ચાર-પાંચ દિવસ રહ્યા હતા. અંજારથી વળતાં વવાણિયા ત્રણ દિવસ રહી, આસો વદમાં શ્રીમને પોતાની સાથે સાયલા લઈ ગયા હતા. ત્યાં શ્રીમદ્ અઠવાડિયું રોકાઈ ખંભાત ગયા હતા. આમ, પ્રથમ મુલાકાત પછી તરત જ બે-અઢી માસના ગાળામાં તેમને લગભગ એક મહિનાનો અત્યંત નિકટ સમાગમ મળ્યો હતો. તે ઉપરાંત વિ.સં. ૧૯૪૭માં પર્યુષણ સમયે રાળજ આદિ સ્થળે, વિ.સં. ૧૯૪૮માં વવાણિયામાં, વિ.સં. ૧૯૪૯માં થોડો વખત મુંબઈમાં અને પર્યુષણ સમયે નિવૃત્તિક્ષેત્રે, વિ.સં. ૧૯૫૦માં થોડો વખત મુંબઈમાં, વિ.સં. ૧૯૫૧માં લગભગ બે મહિના વવાણિયા, સાયલા, રાણપુર, હડમતાલા, વડવા, ખંભાત આદિ સ્થળે, વિ.સં. ૧૯૫રમાં બે-અઢી માસ કાવીઠા, રાળજ, વડવા, ખંભાત આદિ નિવૃત્તિક્ષેત્રે તથા વિ.સં. ૧૯૫૩માં સાયલા તથા ઈડર ક્ષેત્રે શ્રીમન્ના પ્રત્યક્ષ સમાગમનો લાભ શ્રી સૌભાગ્યભાઈને પ્રાપ્ત થયો હતો. સાયલામાં શ્રી સૌભાગ્યભાઈ કરતાં વયમાં મોટા એવા શ્રી ડુંગરશીભાઈ ગોળિયા શ્રી સૌભાગ્યભાઈના ખાસ મિત્ર હતા. તેઓ બુદ્ધિમાન તથા તર્કવાદી હતા અને તેમણે યોગ સાધી, અનેક ચમત્કારો કર્યા હતા. તેના કારણે શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy