SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સૌભાગ્યભાઈનું આગમન થવા પૂર્વે શ્રીમન્ને પોતાના નિર્મળ જ્ઞાનમાં જણાયું કે શ્રી સૌભાગ્યભાઈ નામના પુરુષ બીજજ્ઞાનની વસ્તુ દર્શાવવા આવી રહ્યા છે. શ્રીમદે એક કાગળની કાપલી ઉપર તે બીજજ્ઞાનની વસ્તુ લખી, ગાદી પાસેના ગલ્લામાં તે કાપલી મૂકી. શ્રી સૌભાગ્યભાઈ આવ્યા ત્યારે અતિથિસત્કાર કરતાં શ્રીમદે તેમને નામ દઈ બોલાવ્યા. શ્રી સૌભાગ્યભાઈને નવાઈ લાગી કે તેઓ મને ઓળખતા નથી, અમે એકબીજાને કદી મળ્યા કે જોયા નથી, તેમને મારા આવવાના સમાચાર પણ મોકલાવ્યા નથી, તો તેમણે મને નામ દઈને કઈ રીતે બોલાવ્યો? ત્યાં તો શ્રીમદે કહ્યું કે આ ગલ્લામાં એક કાપલી છે તે કાઢીને વાંચો. શ્રી સૌભાગ્યભાઈએ કાપલી કાઢી વાંચી, તો જે બીજજ્ઞાનની વસ્તુ દર્શાવવા પોતે આવ્યા હતા, તે જ વસ્તુ એમાં લખેલી દીઠી! તેમને થયું કે આ કોઈ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ છે. તેમને મારે શું બતાવવાનું હોય? ઊલટું મારે તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું જોઈએ. શ્રીમન્ના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે પોતાના સાયલાના ઘરના બારણાની દિશા શ્રીમન્ને પૂછી. શ્રીમદે યથાર્થ ઉત્તર આપ્યો, તેથી શ્રી સૌભાગ્યભાઈ અત્યંત આશ્ચર્ય પામ્યા અને તેમણે શ્રીમને ત્રણ નમસ્કાર કર્યા. તે વખતે શ્રીમદ્ પણ કોઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા. આ પ્રસંગે શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈને તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં'નો ભાવાર્થ સમજાવી, તૃષ્ણા નિવારવાનો બોધ કર્યો હતો. આમ, પ્રથમ સમાગમથી તેઓ વચ્ચે અંતરની એકતા પ્રગટી હતી અને બન્નેને એકબીજાના સમાગમથી પરમાનંદ થયો હતો. આ વાતનો સ્પષ્ટ નિર્દેશ પ્રથમ સમાગમ પછી તરતમાં શ્રીમદે વવાણિયાથી પ્રથમ ભાદરવા વદ ૧૩ના દિવસે શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખેલ પ્રથમ પત્ર(પત્રાંક-૧૩ર)માં મળી આવે છે. તે પછી શ્રીમદે બીજે અઠવાડિયે “આત્મવિવેકસંપન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy