SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ - શ્રી સૌભાગ્યભાઈના પિતાશ્રી લલ્લુભાઈ અગાઉ લીંબડીમાં કારભારી હતા, પરંતુ રાજખટપટના કારણે કારભારીપણું ચાલ્યું જતાં સાયલા આવી રહ્યા હતા. ધીરે ધીરે આર્થિક દૃષ્ટિએ પડતી દશા આવી, એટલે તે સુધારવાની ચિંતામાં તેઓ હતા. મારવાડના સાધુઓ મંત્રવિદ્યામાં નિપુણ હોવાથી, તેવા કોઈ સાધુને પ્રસન્ન કરવાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે એમ વિચારી તેઓ રતલામ ગયા. ત્યાં તેમને એક વિખ્યાત સાધુનો પરિચય થયો. શ્રી લલ્લુભાઈએ તેમની સેવા કરી તેમને પ્રસન્ન કર્યા અને પોતાની અર્થકામનાની વિજ્ઞપ્તિ કરી. પણ તે અધ્યાત્મપ્રેમી સાધુએ શ્રી લલ્લુભાઈને ઠપકો આપ્યો કે એમના જેવા વિચક્ષણ પુરુષે ત્યાગી પાસે આત્માને બદલે માયાની વાત કરવી તે ઘણું અઘટિત ગણાય. શ્રી લલ્લુભાઈએ ક્ષમા માંગી અને કંઈ આત્મસાધનની વાત કરવા વિનંતી કરી. તે સાધુએ તેમને સુધારસની યોગક્રિયાની - બીજજ્ઞાનની સમજણ આપી અને વિશેષમાં જણાવ્યું કે કોઈ યોગ્ય પાત્રને કહેશો તો તેને પણ જ્ઞાનપ્રાપ્તિમાં ઉપયોગી થશે. સાયેલા આવ્યા પછી શ્રી લલ્લુભાઈએ તે જ્ઞાન શ્રી સૌભાગ્યભાઈને આપ્યું અને કોઈ યોગ્ય જીવ હોય તો તેને પણ જણાવવું એમ કહ્યું. શ્રી સૌભાગ્યભાઈએ જ્યારે શ્રીમદ્ગી અવધાનશક્તિ વિષે જાણ્યું ત્યારે તેમને લાગ્યું કે તેમની પાસે જે રહસ્યભૂત જ્ઞાન છે તે જો આ વ્યક્તિને આપવામાં આવે તો જગત માટે ઉપકારક થશે; તેથી તેમણે પોતાના પિતાશ્રી પાસે આ સુધારસનું રહસ્યભૂત જ્ઞાન શ્રીમને આપવા માટે આજ્ઞા માંગી અને તેઓશ્રીએ તે માટે અનુમતિ આપી. શ્રી લલ્લુભાઈની સમ્મતિ મળતાં વિ.સં. ૧૯૪૬ના પ્રથમ ભાદરવામાં શ્રી સૌભાગ્યભાઈ મોરબી ગયા, પણ ત્યાં જાણવા મળ્યું કે શ્રીમદ્ તો જેતપરમાં તેમના બનેવી શ્રી ચત્રભુજ બેચરને ત્યાં બિરાજમાન છે, તેથી તેઓ જેતપર ગયા. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy