SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ‘આ આત્માનો આ જીવનનો રાહત્યિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનદષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકો.૧ (ii) શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈ શ્રીમા સર્વ સત્સંગીઓમાં જેમનું સ્થાન સર્વથી ઉપ૨ છે અને જેમને શ્રીમદ્ પોતાના ‘હૃદયરૂપ’, ‘પરમવિશ્રામ શ્રી સુભાગ્ય' તરીકે બિરદાવે છે એવા સરળતા, સૌમ્યતા, સમર્પિતતા, સાચી સંસ્કારિતાના મૂર્તિસ્વરૂપ શ્રી સૌભાગ્યભાઈ પરમ સખા હતા. શ્રીમના સમસ્ત ઉપલબ્ધ પત્રસાહિત્યના ચોથા ભાગથી વધુ પત્રો શ્રી સૌભાગ્યભાઈને લખાયેલા છે, એ જ બતાવે છે કે શ્રીમનો શ્રી સૌભાગ્યભાઈ સાથેનો સંબંધ કેટલો ગાઢ હતો. સૌરાષ્ટ્રના ‘ભગતના ગામ' તરીકે પ્રસિદ્ધ થયેલ સાયલા ગામમાં શ્રી સૌભાગ્યભાઈનો જન્મ વિ.સં. ૧૮૮૦માં થયો હતો. તેઓ સાધકવૃત્તિ, પરગજુ સ્વભાવ અને નિર્મળ હૃદય ધરાવતા હતા. સડસઠ વર્ષની ઉંમરના શ્રી સૌભાગ્યભાઈને પોતાના કરતાં ચુમ્માલીસ વર્ષ નાના, પરંતુ અતીન્દ્રિય શક્તિ ધરાવનાર એવા શ્રીમદ્ તરફ પ્રથમ મુલાકાતથી જ પૂજ્યભાવ થયો હતો. ત્યારપછી પત્ર દ્વારા શ્રીમદ્ા પરોક્ષ સમાગમમાં નિરંતર રહી તથા યથાવકાશ પ્રત્યક્ષ સમાગમનો લાભ લઈ, તેમનો ગાઢ પ્રેમ અને અપૂર્વ માર્ગદર્શન સંપાદન કરી, ખૂબ જ ઉચ્ચ આધ્યાત્મિક દશાને પામીને શ્રી સૌભાગ્યભાઈએ છેવટે પ્રશંસનીય સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના પણ શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈની વિનંતી સ્વીકારીને જ કરી હતી. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૭ (પત્રાંક-૧૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy