SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ વર્ષની વયે શ્રી જૂઠાભાઈનું અવસાન થયું. શ્રી જૂઠાભાઈના અવસાનની તિથિ તેમજ સમય શ્રીમદ્દે બે માસ અગાઉ નોંધી રાખ્યાં હતાં અને તે બાબત શ્રી જૂઠાભાઈને જણાવવા તેમણે શ્રી છગનલાલ બેચરલાલને અગાઉથી લખ્યું હતું. શ્રીમદે કરેલી શ્રી જૂઠાભાઈના અવસાનની આગાહી કરતી નોંધ માત્ર થોડા કલાકના ફરક સાથે સાચી પડી હતી. ઉપાધિના કારણે લિંગદેહજન્યજ્ઞાનમાં યત્કિંચિત્ ફરક થયો હતો એમ પાછળથી શ્રીમદે જણાવ્યું હતું. શ્રી જૂઠાભાઈના દેહવિલયના સમાચારથી શ્રીમદ્દ્ન અત્યંત આઘાત અને શોક થયો હતો. તેમના અવસાનના બીજા દિવસે શ્રીમદે નોંધ્યું છે - ‘એ પાવન આત્માના ગુણોનું શું સ્મરણ કરવું? જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી, ત્યાં સ્મૃતિ થઈ ગણાય જ કેમ? એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું, એ આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો. મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજુગુપ્સિત હતો, ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું, સમ્યક્દ્ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત સમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષુતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જૂઠાભાઈનો પવિત્રાત્મા આજે જગતનો, આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. આ સહચારીઓથી મુક્ત થયો. ધર્મના પૂર્ણાહ્લાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું’૧ પરમાર્થમાર્ગમાં આધારરૂપ એવા શ્રી જૂઠાભાઈ અને શ્રીમદ્ વચ્ચેના પારમાર્થિક અનુરાગની પ્રબળતા શ્રીમદે શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલા પત્રમાં પ્રતિબિંબિત થાય છે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૧૭ (પત્રાંક-૧૧૭) Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy