SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ભાગ્યશાળી મુમુક્ષુઓમાં સર્વશ્રી જૂઠાભાઈ ઉજમશી, સૌભાગ્યભાઈ લલ્લુભાઈ, અંબાલાલ લાલચંદ, લલ્લુજી મુનિ, મહાત્મા ગાંધીજી, દેવકરણજી મુનિ, મનસુખભાઈ કિરતચંદ, પોપટલાલ મોહકમચંદ, ડુંગરશીભાઈ ગોસળિયા, ધારશીભાઈ કુશળચંદ, સુખલાલ છગનલાલ, માણેકલાલ ઘેલાભાઈ, રેવાશંકરભાઈ જગજીવનભાઈ, મનસુખભાઈ રવજીભાઈ, ત્રિભુવનભાઈ માણેકચંદ, ઝવેરચંદ શેઠ, ખીમજી દેવજી, કુંવરજી મગનલાલ, મનસુખભાઈ દેવશી, ડૉ. પ્રાણજીવનદાસ મહેતા, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી વગેરે હતા. તે સર્વ ઉપર શ્રીમદુનો ઘણો પ્રભાવ પડ્યો હતો અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ હતી. શ્રીમનું માર્ગદર્શન પામી તેમની હયાતીમાં જ જેમને સમ્યકત્વ પ્રગટ થયું હતું એવા ચાર ભક્તરત્નો તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કે જેમનું જીવનવહેણ શ્રીમદુના સમાગમથી બદલાઈ ગયું હતું તે પાંચ મહાનુભાવોનો પરિચય અત્રે સંક્ષેપમાં જોઈએ – (I) શ્રી જૂઠાભાઈ ઉજમશીભાઈ શ્રીમન્ના સર્વ સત્સંગીઓમાં પ્રથમ ઘનિષ્ઠ સત્સંગી હોવાનું માન શ્રી જૂઠાભાઈને ઘટે છે. તેમને થયેલ સન્દુરુષની યથાર્થ ઓળખાણથી શ્રી અંબાલાલભાઈ અને પરંપરાએ શ્રી લલ્લુજી મુનિ લાભ પામ્યા હતા. તેઓ શ્રીમન્ના અલ્પ કાળના સાનિધ્યથી પોતાનું આત્મકલ્યાણ નાની ઉંમરમાં સાધી લેનાર એક મહાન સાધક હતા. તેમનો જન્મ વિ.સં. ૧૯૨૩ના કારતક સુદ ૬ના દિવસે થયો હતો. એ હિસાબે તેઓ શ્રીમદ્ કરતાં એક વર્ષ મોટા, એટલે કે લગભગ સમવયસ્ક હતા. તેમના પિતાનું નામ શ્રી ઉજમશીભાઈ અને માતાનું નામ જમનાબાઈ હતું. તેઓ અમદાવાદના પુણ્યપ્રભાવક શેઠ મલ્લિચંદ જેચંદના કુળના નબીરા અને શેઠ જેસંગભાઈ ઉજમશીભાઈના લઘુભાતા હતા. તેમનો કુળસંપ્રદાય સ્થાનકવાસી જૈનનો હતો. તેમનો અભ્યાસ અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો હતો. તેઓ ભક્તિપ્રધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy