SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રીમદે કહ્યું, ‘તે દયા પણ અંતે મૂકવાની છે.' નરોડામાં એક દિવસ સ્થિતિ કરી, મુનિઓને અને અન્ય મુમુક્ષુઓને ધર્મલાભ આપી, શ્રીમદ્ અમદાવાદ થઈ, જેઠ માસમાં મુંબઈ પધાર્યા. આ પ્રમાણે સંવત ૧૯૫૫માં માગસરથી વૈશાખ માસ સુધી છ મહિના શ્રીમદ્ મુંબઈની બહાર રહ્યા હતા. આમ, આ નિવૃત્તિક્ષેત્રોમાં શ્રીમદે આત્મસાધનાના મંદિર ઉપર પૂર્ણતાનો કળશ ચઢાવવા અપ્રમત્તપણે આત્મપુરુષાર્થ આદર્યો હતો. નિરંતર રહેતી શુદ્ધાત્મસ્વરૂપવિષયક અપૂર્વ ચિંતનધારા તેમને અપ્રમત્ત યોગની નિકટ ને નિકટ લઈ જતી હતી. હવે માત્ર બાહ્ય વેષધારણ સિવાય અન્ય સર્વ પ્રકારે દ્રવ્યથી પણ તેઓ અસંગ - નિર્ગથ થઈ રહ્યા હતા. સર્વ દુઃખક્ષયના ઉપાયરૂપ કેવળ અંતર્મુખ થવાના માર્ગ ઉપર શુદ્ધ આત્મોપયોગની દિશામાં શ્રીમદ્ અદ્ભુત ઉર આત્મપરાક્રમથી વાયુવેગે ધસી રહ્યા હતા. મનનો, વચનનો, કાયાનો, આહારનો તથા નિદ્રાનો જય કરીને નિર્વિકલ્પ અંતર્મુખ વૃત્તિ દ્વારા તેઓ આત્મરમણતામાં રહેતા હતા. આવા શુદ્ધોપયોગમય અપ્રમત્ત દશાવંતને સહજ જીવન્મુક્તદશા વર્તતી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy