SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ હતી. પછી અમદાવાદથી શ્રીમદ્ વવાણિયા-મોરબી ગયા હતા. ત્યાં લગભગ અઢી માસ સ્થિતિ કરી પુનઃ વૈશાખમાં ઇડર પધાર્યા હતા. ઈડરથી પાછા વળતાં શ્રીમદ્, નરોડા ગામમાં મુનિઓ હતા ત્યાં પધાર્યા હતા. અમદાવાદથી પણ ઘણા મુમુક્ષુઓ ત્યાં આવ્યા હતા. બપોરે બાર વાગ્યા પછી બધાએ જંગલમાં જવું એવો ઠરાવ થયેલો તે પ્રમાણે મુનિઓ ગામની ભાગોળે રાહ જોઈને ઊભા હતા. એટલામાં શ્રીમદ્ બીજા મુમુક્ષુઓ સાથે ત્યાં આવ્યા. આવા તાપમાં મુનિઓના પગ દાઝતા હશે એમ કહી, પોતે પણ પગરખાં કાઢીને અડવાણે પગે ચાલવા લાગ્યા. ગીષ્મનો પ્રખર તાપ અને રેતાળ જમીન છતાં શ્રીમદ્ ધીરે ધીરે શાંતિથી ચાલતા હતા. મુનિશ્રી લલ્લુજી તે વખતનું તાદશ ચિત્ર આલેખે છે - “તે દેખી ઘણા માણસોને આ જ્ઞાનીને દેહની સાથે કાંઈ સંબંધ નથી તેમ ચાલે છે એમ થોડી સમજણવાળા માણસોને પણ પ્રત્યક્ષ દેખાવ થયો. અને અમે સાત ઠાણા આમથી આમ અને આમથી આમ છાંયડો ખોળતા ખોળતા આમથી આમ કૂદકા મારીને પરાણે પરાણે થોડા થોડા છાંયડે ઊભા રહેતા ઊભા રહેતા ચાલ્યા ને દૂર એક વડવૃક્ષ હતું ત્યાં (શ્રીમદ્) પધાર્યા, - ત્યાં અમે પણ ગયા. ત્યાં કૃપાળુદેવ પધારેલ ને તેમના ચરણ સામું જોવાથી પગે સાવ રાતા વર્ષે લોહીની શેરો છૂટે તેવો દેખાવા લાગ્યો ને ફોલ્લા (ભંભોલા) પડ્યા તે દીઠા. આ પ્રસંગે શ્રીમદે એક વચન એવું ઉચ્ચાર્યું કે હવે અમે સાવ અસંગદશામાં થઈને કોઈ પણ વચન ઉચ્ચારીએ નહિ તેવી દશા વર્તે છે. ત્યારે શ્રી દેવકરણજી મુનિ બોલી ઊઠ્યા, ‘તો પછી જ્ઞાનીની અનુકંપા અને દયા ક્યાં જશે?' ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ, પૃ.૭૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy