SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ આજુબાજુમાં રહેવા યોગ્ય કોઈ એકાંત સ્થળની તપાસ કરાવી હતી. શ્રી મોતીલાલભાઈએ આજ્ઞાનુસાર નડિયાદથી લગભગ બે માઈલ દૂર ઉત્તરસંડાના વનમાં એકાંત નિર્જન સ્થળ તલાવડીના કાંઠે બાગની મધ્યે એક નાનકડી બંગલી શોધી રાખી હતી. ત્યાં શ્રીમદ્ શ્રી અંબાલાલભાઈ, શ્રી લહેરાભાઈ અને શ્રી મોતીલાલભાઈની સાથે પધાર્યા હતા. બીજા કોઈને ત્યાં આવવાની આજ્ઞા ન હતી. શ્રી લહેરાભાઈ દસ દિવસ રહ્યા પછી શ્રીમની આજ્ઞા થવાથી ઘરે ગયા અને શ્રી અંબાલાલભાઈ પંદર દિવસ પછી ગયા. શ્રીમન્ને અસંગપણે રહેવાની ઇચ્છા હોવાથી, શ્રી અંબાલાલભાઈ રસોડાનો સામાન, ગાદલાં, વગેરે લાવ્યા હતા એ બધું લઈ જવાની શ્રીમદે આજ્ઞા કરી. એકમાત્ર શ્રી મોતીલાલભાઈ જ શ્રીમદ્ભી સેવામાં રહ્યા. શ્રી મોતીલાલભાઈએ પોતાના માટે એક ગાદલું તથા પાણીનો એક લોટો રખાવ્યો, બાકી બધો સરસામાન રવાના કરવામાં આવ્યો. શ્રી મોતીલાલભાઈ ગાડું જોડાવી લાવ્યા અને સામાન ભરી ગાડું હંકાવ્યું; જતા પહેલાં શ્રી અંબાલાલભાઈએ શ્રીમન્નાં દર્શન કર્યા અને ફરી દર્શન ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી તેઓ ચાલી નીકળ્યા. શ્રી અંબાલાલભાઈ શ્રી મોતીલાલભાઈને રાતે શ્રીમન્ની દેખભાળ કરવાની સૂચના આપતા ગયા હતા. - તે રાતના આશરે સાડા દસ વાગે શ્રીમદ્ વનમાં ધ્યાન ધરી મુકામે પધાર્યા અને શ્રી મોતીલાલભાઈએ પોતા માટે રખાવેલું ગાદલું હીંચકા ઉપર પાથર્યું અને તેમના ઘણા આગ્રહના કારણે શ્રીમદે તે રહેવા દીધું. થોડી વાર પછી શ્રી મોતીલાલભાઈ તપાસ કરવા આવ્યા ત્યારે ગાદલું નીચે પડેલું. મચ્છર ઘણા હોવાથી તેમણે શ્રીમદ્ ઉપર એક ધોતિયું ઓઢાડ્યું અને પછી તેઓ સૂઈ ગયા. વળી, ફરી તેઓ તપાસ કરવા આવ્યા ત્યારે તેમણે જોયું કે શ્રીમદ્ ગાથાઓની ધૂનમાં તલ્લીન હતા અને ધોતિયું શરીર ઉપરથી ભોંય ઉપર પડી ગયું હતું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy