SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ બીજા દિવસે શ્રીમદ્ મુનિઓ સાથે રાયણના વૃક્ષતળે બેઠા હતા. ત્યાંથી એક માળી પુષ્પો લઈને જતો હતો, તેને શ્રીમદ્ ઉપર સ્વાભાવિક પ્રેમ આવવાથી તેણે તેમની આગળ પુષ્પો મૂક્યાં હતાં. પછી શ્રીમદે ભગવાનને પુષ્પ ચડાવવા સંબંધી, જિનપ્રતિમા સંબંધી, જિનકલ્પી-સ્થવિરકલ્પી સંબંધી ખુલાસા કર્યા હતા. ત્રીજે દિવસે બપોરના એ જ ચરામાં અને એ જ રાયણના વૃક્ષ નીચે ગયા હતા ત્યારે શ્રીમદ્દે શ્રી ધોરીભાઈ પાસે શ્રી આનંદઘનજી મહારાજકૃત શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન આઠ વખત ગવડાવ્યું, તેના અર્થ શ્રી ધોરીભાઈ પાસે કરાવ્યા અને પછી શ્રીમદે પોતે તેના અલૌકિક વિશેષાર્થ કર્યા હતા. ત્યાંથી આનંદની ધૂનમાં શ્રીમદ્ ‘રાગીશું રાગી સહુ રે, વૈરાગી શ્યો રાગ; મનરાવાલા; રાગ વિના કિમ દાખવો રે, મુક્તિ સુંદરી માગ? મનરાવાલા.' એ કડી તથા ‘જેનો કાળ તે કિંકર થઈ રહ્યો' એ પદ આકર્ષક સૂરથી મોટા અવાજે ગાતાં ગાતાં ગામ ત૨ફ સિધાવ્યા અને છેક મકાન સુધી ધૂન ચાલી. એક દિવસ વનમાં વાવ પાસે શ્રીમદ્દે મુનિઓને આત્મજાગૃતિ અર્થે બોધ આપ્યો હતો તથા શ્રી લલ્લુજી મુનિને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની ભલામણ કરી હતી. પછી ઊઠીને વનમાં મહાદેવનું એક જીર્ણ મંદિર હતું ત્યાં એકાંતમાં બેઠા હતા. ત્યાં શ્રીમદે માત્ર કછોટો રાખી, પદ્માસનમાં બિરાજમાન થઈને બોધ આપ્યો હતો. સિiતિ શુ་તિ मुच्चंति परिणिव्वायंति सव्वदुख्खाणमंतं करंति' એ સંકલનાબદ્ધ પદોનો અપૂર્વ રહસ્યાર્થ સમજાવ્યો હતો. એક વખત શ્રીમદે શ્રી મોહનલાલજી મુનિને વ્યાખ્યાન કરવા સંબંધી, મનઃસ્થિરતા સંબંધી, ધ્યાન કરવા સંબંધી સમજણ આપી હતી. એક દિવસ આઠ-દસ પંડિતો, અધિકારીઓ વગેરે શાસ્ત્રાર્થ માટે આવ્યા હતા. તેમણે પ્રથમ સંસ્કૃતમાં શાસ્ત્રાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy