SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ગામ બહાર ખેતરો અને વગડામાં થોડો સમય એકાંતમાં ગાળતા હતા. તેઓ આગમોની કેટલીક ગાથાઓ બોલતાં બોલતાં, એકસરખી નીચી દષ્ટિ રાખી ચાલતા હતા. એકાદ માઈલ દૂર જઈ ગમે તે ઝાડ નીચે કે તલાવડીના કાંઠે ધ્યાનમાં બેસતા હતા. કાવિઠા મુકામે શ્રીમદ્ માટેની રસોઈ શ્રી અંબાલાલભાઈ બનાવતા હતા. તેઓ બિલકુલ સાદી રસોઈ - દાળભાત, રોટલી તથા લોચાદાળ બનાવતા. કોઈક વખત લીલોતરીનું શાક પણ કરતા. એક દિવસ તેમણે સંજોગવશાત્ લીલોતરીનાં બે શાક કરેલાં. બે શાક જોઈને શ્રીમદ્ કાવિઠા રહ્યા ત્યાં સુધી લીલોતરીનું શાક ન બનાવવાની શ્રી અંબાલાલભાઈને આજ્ઞા કરી અને જણાવ્યું કે “અમે જીભના સ્વાદ માટે કે પંચેન્દ્રિયના ભોગ ભોગવવા માટે આહાર વાપરતા નથી, પરંતુ આ દેહથી આત્માનું કલ્યાણ કરવાને માટે દેહ ટકાવવા નીરસપણે આહાર લઈએ છીએ.” એક વખત શ્રીમદ્ શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ, શ્રી લહેરાભાઈ વગેરે મુમુક્ષુઓ સાથે ત્યાંની વાગડીઆ તલાવડી ગયા હતા. તે વખતે પાટીદાર શ્રી શામળભાઈએ નજીકમાં પોતાનું ખેતર હતું ત્યાંથી મોગરાનાં ફૂલ લાવીને બેઠક ઉપર મૂકેલાં. તે જોઈ શ્રીમદે કહ્યું કે સહેજ કારણમાં આટલાં બધાં ફૂલ ન તોડીએ અને વિશેષમાં જણાવ્યું કે તમારી દીકરી હીરાને કાલે આરામ થઈ જશે. કાવિઠાથી ત્રણ ગાઉ દૂર સિહોલમાં શ્રી શામળભાઈની પુત્રી હીરા ઘણા દિવસથી માંડી હતી, ત્યાં શ્રી શામળભાઈ ગયા તો તેને આરામ થઈ ગયો હતો. શ્રીમદ્ શ્રી શામળભાઈને કે તેમની દીકરી હીરાને ઓળખતા ન હતા. એક વખત શ્રીમદ્ ધરણીયાના વડ નીચે જિજ્ઞાસુઓ સાથે જ્ઞાનચર્ચા કરતા હતા. બાબરના નામનો એ જમાનાનો નામચીન બહારવટીઓ ત્યાંથી પસાર થતો હતો. એથી બધા ડરવા લાગ્યા, શ્રીમદે બધાને ન ડરવા માટે જણાવ્યું. બાબરદેવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy