SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જે વચનો શ્રી સૌભાગ્યભાઈને લખ્યાં છે તે બહુ મનન કરવાં યોગ્ય છે અને શ્રીમની આંતરિક સ્થિતિ જાણવામાં પણ ખૂબ ઉપયોગી હોવાથી અત્રે આપીએ છીએ – જ્ઞાનીપુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધપણે હોય, એમ છતાં પણ તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે; જે રીતનો આશ્રય કરતાં હાલ ત્રણ વર્ષ થયાં વિશેષ તેમ કર્યું છે અને તેમાં જરૂર આત્મદશાને ભુલાવે એવો સંભવ રહે તેવો ઉદય પણ જેટલો બન્યો તેટલો સમપરિણામે વેદ્યો છે; જોકે તે વેદવાના કાળને વિષે સર્વસંગનિવૃત્તિ કોઈ રીતે થાય તો સારું એમ સૂક્યાં કર્યું છે; તોપણ સર્વસંગનિવૃત્તિએ જે દશા રહેવી જોઈએ તે દશા ઉદયમાં રહે, તો અલ્પ કાલમાં વિશેષ કર્મની નિવૃત્તિ થાય એમ જાણી જેટલું બન્યું તેટલું તે પ્રકારે કર્યું છે; પણ મનમાં હવે એમ રહે છે કે આ પ્રસંગથી એટલે સકલ ગૃહવાસથી દૂર થવાય તેમ ન હોય તોપણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર થવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિષે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષજીવને દેખાતી નથી.” આમ, જ્ઞાની પુરુષને આત્માને પ્રતિબંધ થાય તેવા પ્રકારના પરિણામથી સંસારની પ્રવૃત્તિ હોતી નથી તેવો સિદ્ધાંત છે, પરંતુ પૂર્વકર્મના પ્રતિબંધના કારણે સંસારપ્રવૃત્તિ હોય છે. જ્ઞાની પણ પ્રારબ્ધ વેદ્યા વિના, અર્થાત્ પૂર્વબદ્ધ કર્મનો ઉદય ભોગવ્યા વિના તેનાથી નિવૃત્ત થતા નથી અને અભોગવ્ય નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને ઇચ્છા હોતી નથી. પરંતુ જ્ઞાનીની સંસારપ્રવૃત્તિ અજ્ઞાનીની પ્રવૃત્તિ કરતાં સાવ જુદી પડે છે. અજ્ઞાનીને તે પુનઃ બંધનો હેતુ થઈ સંસારવૃદ્ધિનું કારણ થાય છે. જ્ઞાની અબંધપરિણામે ઉદય ભોગવતા હોવાથી તેમને તે નિર્જરાનો હેતુ થાય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૪૮ (પત્રાંક-પ૬૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004853
Book TitleJivan ane Kavan
Original Sutra AuthorN/A
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Param Samadhi Shatabdi Mahotsava Samiti Rajkot
Publication Year2000
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy