________________
પ્રસ્તાવ ૧.
આ જગતમાં જીવોના વધ જેવું બીજું એક પણ પાપનું મૂળ નથી. કેમકે, તેથી જન્માન્તરમાં લાખો દુખો ઉત્પન્ન થાય છે. ૩૦૪ મનુષ્ય, જે સ્ત્રી, પુત્ર તથા પત્નીને માટે પાપ કરે છે તેઓ, પરાધીન થઈને નરકમાં જતા તે પુરુષની કદી રક્ષા કરી શકતા નથી, ૩૫ અરે ! પિતાનાં સ્વજનોની વાત તો દૂર રહી પણ આ દેહ, કે જે કેવળ પિતાનેજ ગણાય તે પણ યુદ્ધમાં–કટેકટીના સમયે જેમ દુષ્ટ સેવક પિતાથી જાદ પડે છે તેમ, જુદો પડે છે-પિતાને ત્યજી જાય છે. ૩૦૬ માટે તું ધર્મ કરવામાં બુદ્ધિ કર. કેમકે ધર્મ સુખકારક છે, અને નિત્ય છે. તેનું આચરણ કરવાથી આ લેકનાં કે પરલેકનાં દુઃખ થતાં નથી.” ૩૦૭ મુનિના મુખમાંથી નીકળેલ તે અમૃત તુલ્ય ઉપદેશ સાંભળી, તે ધનદેવે પણ મિથ્યાત્વરૂ૫ ઝેરને તત્કાળ ત્યાગ કર્યો. ૨૦૮ પછી તેણે મુનિના ચરણમાં નમસ્કાર કરી વિનતિ કરી કે, “હે પ્રભુ! સંસારરૂપ આંધળા કુવામાં પડતા મને તમે આધાર આપે છે-ટેકે આપે છે. ૩૦૯ હું પ્રતિજ્ઞા કરું છું કે, આજથી આરંભી હું કદી પણુ જીવોને વધ કરીશ નહિ, તેમજ માંસભક્ષણ પણ કરીશ નહિ, આવો મને નિત્ય નિયમ છે.” ૩૧° તે સાંભળી મુનિએ પણ કહ્યું કે, “ખરેખર તારા જેવો બીજો કોઈ પણ પુણ્યશાળી નથી. કેમકે, તે ઘણું લાંબા કાળથી અભ્યાસ કરેલા પાપને એક ક્ષણ વારમાં ત્યાગ કર્યો છે. ૩૧ હવે તે ગ્રહણ કરેલા નિયમને તું જીવિત પર્યત પાળજે. કેમકે તે નિયમ તને અવશ્ય ફળદાતા થશે.” ૩૧૨ ધનદેવ બોલ્યા કે, “ હે પ્રભુ! પ્રાપ્ત થયેલા ધનના ભંડારને ક મનુષ્ય ત્યાગ કરે ? ગયેલા નેત્ર જ્યારે ફરીથી પ્રાપ્ત થાય ત્યારે કયો મનુષ્ય સળીવડે તેને નાશ કરે છે ? ૩૧૩ માટે હું
જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પ્રયત્નપૂર્વક આ નિયમનું પાલન કરીશ, કેમકે કયે બુદ્ધિમાન મનુષ્ય, હાથમાં આવેલા કલ્પવૃક્ષને સાદર સ્વીકાર
( ૩૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org