________________
ધનદેવનું દષ્ટાંત.
કદી ક્રોધ કરી જેથી તેઓ એ કીધરૂપ છે
જે મનુષ્ય કાણુ માત્ર ? ૨૯૩ મારે ભાઈ, પિતા, પુત્ર કે સ્વામી કઈ પણ નથી. મને મારવામાં જંગલી બિલાડાના કાન કાપવા જેવું છે. ૨૯૪ માટે તમે મારા પર ક્રોધનો ત્યાગ કરે. કેમકે તમે તે પ્રાણી માત્રને આલંબન આપે છે, તે મારા પર કૃપા કરી સ્વચ્છ મનવાળા થઈને તમે મારી પીઠ પર હાથ મૂકે.” ૨૯૫ તે પછી મુનિ ધ્યાન પારીને ધ્યાન મુકત થઈને ધનદેવ પ્રત્યે બોલ્યા - “અરે ! સાધુઓ તો સ્વભાવિક રીતે જ ક્રોધરૂપ યોદ્ધાને સદા જિતનારા હોય છે. ૨૯૬ જેથી તેઓ પોતાના અપરાધ કરનારા ઉપર પણ કદી ક્રોધ કરતા નથી. હે ભદ્ર ! તારા ઉપર તો મારે ક્રોધ કરવાને અવકાશજ કયાં છે ? કેમકે તું તો કેવળ નિરપરાધી છે. ૨૭ જે પ્રાણી કેાઈને અપરાધ કરી પશ્ચાતાપ કરે છે તે પણ ક્રોધને પાત્ર નથી અર્થાત્ તેના ઉપર પણ ક્રોધ કરવો એગ્ય નથી તો પછી તારા નિરપરાધી ઉપર તે ક્રોધ કેમ થઈ શકે ? ૨૯૮ માટે હે ભદ્ર ! ભયને ત્યાગ કરી, શાંત થઈને તું મારું વચન સાંભળ, જેથી જન્માંતરમાં તું કદી દુઃખી ન થાય. ૨૯૯ હે ભદ્ર! તને પોતાને જેવો મૃત્યુથી ભય છે, તેવો જ બીજા પ્રાણીઓને પણ ભય હોય છે, એમ તારે જાણવું. ૩૦° અરે ! “તું મરી જા” એમ કહેવા માત્રથી પણ પ્રાણી દુઃખી થાય છે, તે પછી તેના પર તીણ શાને પ્રહાર કરવામાં આવે તો દુઃખી થાય, એમાં શું આશ્ચર્ય હોય ? ૩૦૧ એક કોઢીઓ માણસ કેઢથી પીડાતા હોય છે, છતાં પણ મરવાને ઈચ્છતો નથી, તે પછી જે પ્રાણું સુખી હોય છે, તેને તે મરવાની ઈચ્છા કેમજ થાય. માટે સિદ્ધ થાય છે કે, મૃત્યુનો ભય સુખીને કે દુઃખીને બન્નેને સમાનજ છે. ૩૦૨ આ સંસારમાં ભાગ વૈભવને સંયોગ વીજળીના જેવો ચંચળ છે અને જીવન પણ હાથીના કાનની પેઠે અસ્થિર છે, આમ સમજીને મનુષ્યોએ પાપમાં પ્રીતિ કરવી તે યોગ્ય નથી. ૩૦૩
(૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org