________________
ધનદેવનું દષ્ટાંત.
પ્રકારના એકતિઓના અધિપn. "
ચામડી, ચરબી, મજજા, આંતરડાં અને વિષ્ટા વગેરેના પાત્રરૂપ આ શરીર કૃતન, અસાર તથા અનિત્ય ગણાય છે. ૨૨ તે પણ માતાના દૂધથી પોષણ પામેલા આ દેહમાંથી કેળના વૃક્ષમાંથી જેમ કેળાં ગ્રહણ થાય છે તેમ, એકજ ફળ અને એકજ સાર ગ્રહણ કરવાને છે તે એજ કે ધર્મનું સેવન.૨૦૩ કેમકે ધર્મથીજ મનુષ્યોને આ લેકના તથા પરલોકના સર્વ ઇચ્છિત અર્થો-ભોગ વૈભવ પ્રાપ્ત થાય છે, ૨૭૪ એટલું જ નહિ પણ ધર્મથીજ દેવાંગનાઓએ કરેલા સંગીતથી પ્રસન્નચિત્તવાળા અને ઈચ્છા પ્રમાણે કાર્ય પૂર્ણ કરનારા દેવો થઈ શકાય છે. ૨૭૫ છ ખંડ ભરતક્ષેત્રના અધિપતિઓ, નવ નિધિના ઈશ્વરો આ સર્વ ચક્રવર્તિઓ ધર્મથીજ થયા કરે છે. ૨૭૬ વળી ચોત્રીસ પ્રકારના અતિશયોથી પ્રકાશી રહેલા આ જિનેશ્વરો પણ ધર્મના પ્રભાવથીજ ત્રણ જગતના મનુષ્યોમાં પૂજ્ય થાય છે. ૨૭૭ અને સૌભાગ્ય, રૂપ, તથા પરાક્રમ આદિ પ્રત્યેકના ચિત્તને હર્ષ ઉપજાવનાર જે જે વસ્તુ જગતમાં જોવામાં આવે છે તે પણ ધર્મને લીધે જ છે. ૨૭૮ અરે! એટલું જ નહિ, ધર્મના પ્રભાવથી જીવ અનંત, સનાતન, નિબંધ અને અતુલ એવા મેક્ષ સંબંધી સુખને પ્રાપ્ત કરે છે. ૨૯ એ પ્રમાણે હે ભવ્યજીવો!ધર્મના પ્રભાવને જાણીને ભાવ તથા આદરપૂર્વક નિરંતર ધર્મમાં જ લક્ષ્ય આપે. ૨૮૦ વિદ્યાધર હેમરથે ગુરુ પાસેથી એ ધર્મને પ્રભાવ સાંભળીને તેમને નમન કર્યું અને પછી તે બે કે “હે ભગવન ! મેં પૂર્વજન્મમાં તેવું કયું પુણ્યકર્મ કર્યું હશે?” ૨૮૧
ગુરુ બોલ્યા–“ હે મહાબાહુ! તું તારા પૂર્વજન્મને સાંભળ, જે સાંભળીને તે પોતે પણ પવિત્રાત્મા થઈશ. ૨૮૪
પૂર્વે કૂર્મનામના ગામમાં ભદ્રિક સ્વભાવને એક કુલપતિ હતો. તેનું નામ ધનદેવ હતું. તેને યશોમતી નામની એક સ્ત્રી હતી. એ કુલ
( ૩૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org