SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધનદેવનું દૃષ્ટાંત. ઉત્તમ ગણાતા સેવકો પોતાના સ્વામિઓને જે યોગ્ય લાગે અને પ્રિય થઈ પડે તેવું વચન કહે છે.૧૩૦ માટેજ કહું છું કે, આ સભાસદે સર્વથા અસત્ય વચન કહે છે. કેમકે, સર્વ લોક, પોતે પૂર્વ જન્મમાં સંપાદન કરેલા કર્મનુંજ ફળ ભેગવે છે. અરે ! દેવો પણ પૂર્વકમથી અધિક ફળ આપી શકતા નથી, તે પછી હાડમાંસનાં પુતળા રૂપ મનુષ્ય તો કોણ માત્ર 2 ૧૩-૧૩૪ આવા આશયથીજ શાસ્ત્રકારે કહે છે – धनिषु मुधा किमु धावसि तूष्णीमाध्वं न साध्विदं चरितम्।। विधिलिखिताक्षरमाले फलति कपालं न भूपालः ॥१३३॥ ' અરે એ પ્રાણ ! તું ધનવાન પાસે વ્યર્થ દેડાડી શામાટે કરે છે ? શાંત રહે. આવું આચરણું યોગ્ય નથી. યાદ રાખ કે, વિધાતાએ લખેલી અક્ષરમાળાવાળું તારું લલાટજ શુભાશુભ ફળદાતા છે; રાજા કે ધનવાન નહિ.૧૩૩ વળી હે તાત! જો કદાચ તમારી કૃપાથીજ મનુષ્યો ધનવાન થતા હોય તો પછી આ નગરમાં કેટલાએક મનુષ્ય દરિકી કેમ છે ?૧ ૩૪ અરે ! તે બીજા લોકોની વાત તો બાજુ પર રહી, પણ જે તમારા સેવકો છે તે બધા પણ સમાનપત્તિવાળા જોવામાં આવતા નથી. ૧૩૫ જેમકે–આ તમારા સેવકેમાં કેટલાએક તમારા જેવાજ સંપત્તિવાળા જોવામાં આવે છે, ત્યારે બીજા કેટલાએક પિતાની ખાંધ ઉપર તમને ઉપાડે છે અને એવું જૂઠું ખાય છે.૧૩૬ વળી કેટલાએક તમારું દાસત્વ કરી રહ્યા છે. અને કેટલાએક શ્રેષ્ઠ અધિકારીઓ છે. આ રીતે હે પિતા! સર્વ મનુષ્ય પોતપોતાના કર્મના ફળને પામે છે. ૧૩૭ ૫ણ જેઓનું તેવું ભાગ્ય નથી તેઓને તમે પોતે પણ કોઈ પ્રકારની સમૃદ્ધિ આપી શકતા નથી. આ વિષે એક દષ્ટાંત હું તમને કહું છું, તેને તમે (૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy