________________
પ્રસ્તાવ ૧. તે પછી શરીરને ટેકવતો અને પગલે પગલે શ્વાસથી પૂર્ણ થયેલી છાતીવાળે તે કાઢીએ, નગરમાં પ્રવેશ કરી ચૌટા વચ્ચે પડી રહ્યો. ૧૧૯ બીજી તરફ “તામ્રચૂડ નામનો તે નગરને વિદ્વાન રાજા, કે જે ઈન્કસમાન પરાક્રમી હતું, તેણે પોતાનું સભાગૃહ શોભા
વ્યું–અર્થાત્ રાજા તામ્રચૂડે સભામાં પ્રવેશ કર્યો.૧૨° તે રાજા રનના સિંહાસન ઉપર બેઠો હતો. તે વેળા બીજા પણ અનેક સામંતો, અમા, મંત્રીઓ તથા રાજાઓ ત્યાં આવીને રાજાને નમન કરવા લાગ્યા. અને સુવર્ણ, મણિ તથા માણિક્યના અલંકારેથી શોભી રહેલા તે રાજાઓ, પોતપોતાની યેગ્યતા પ્રમાણે રાજને નમસ્કાર કરી ત્યાં બેઠા.૧૨૨ તે સમયે એ સભા, દેવોના જેવા વિદ્વાન સભાસદેથી ભરપૂર હોઈને ઈન્દ્રની સભાની પેઠે શોભી રહી હતી.૧૨૩ રાજાની પુત્રી મદનમંજરી પણ તે વખતે ત્યાં આવી પહોંચી અને રાજાને નમન કરી તેની આજ્ઞાથી તેની સમીપમાં જ બેઠી. ૧૨૪ રાજા તામ્રચૂડ, ધારણ કરેલા મણિ તથા સુવર્ણના અલંકારેનાં કિરણો વડે આકાશમાં ઈન્દ્ર ધનુષ્યનો દેખાવ કરતા તે સભાના લોકોને જોઈને અત્યંત આનંદ પામ્યો અને અત્યંત પ્રકાશી રહેલી દાંતની કાંતિવડે બમણું થયેલાં વચનોથી અધરેષ્ઠને ઉજજવળ કરતો આ પ્રમાણે બેલ્યો.૧૨૫-૧૨૬ “હે સભાસદે ! તમને આવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે કેની કૃપાથી તે તમે કહો.” તે સાંભળી સભાસદો બેલી ઉઠયા કે, “આ સમૃદ્ધિ અમને આપની કૃપાથી જ મળેલી છે.”૧૨૭ તે વેળા સમીપમાં બેઠેલી રાજકન્યાએ નેત્રને ત્રાંસાં કરીને પોતાનું મુખ મરડ્યું. રાજાએ પણ તેની એ ચેષ્ટા જોઈને પુત્રીને કહ્યું કે,૧૨૮ “હે પુત્રિ ! સભાસદનું આ વચન સાંભળી તે મુખ કેમ મરડ્યું ? શું આ લોકોએ કહેલું વચન અસત્ય છે ? અથવા કેઈ બીજું કારણ છે ? તે કહે.”૧૨૯ ત્યારે રાજપુત્રી બેલી –“હે પિતા ! સેવા કરવામાં ચતુર આ તમારા
(૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org