________________
ધનદેવનું દૃષ્ટાંત
આ શ્લોક સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યું કે, ફ્લેકમાંહેના પ્રથમના ત્રણ અર્થે સત્ય છે, પણ “ભગી પ્રાણીઓને સર્વસ્થળે ભેગો મળી આવે છે. ” આ અર્થ ઘટી શકતો નથી. ૧૦૯ કેમકે, રાજા હોય તે પણ પોતાના જ દેશમાં આદરસત્કારને પામે છે, પણ પરદેશમાં તો રાંકની પેઠે ભૂખથી ટળવળે છે. ૧૨૦ વળી રાજાની જે કૃપા થાય તે રંક પણ એકદમ રાજા બની જાય છે, માટે લોકનું એ છેલ્લું વાકય બંધ બેસતું નથી. ૧૧૧ અથવા મહાકવિની રચનામાં અન્યથા કેમ હોઈ શકે ? માટે ચાલ, હું પોતે જ મારા રાજ્યને ત્યાગ કરી કેાઈ અજ્ઞાત પ્રદેશમાં ચાલ્યો જાઉં. ૧૧૨ ત્યાં જઈને જે હું ભેગભવોનું પાત્ર બનીશ તે પરીક્ષા. કરાયેલા રત્નની પેઠે આ વાક્યને સત્ય માનીશ.” ૧૧૩ આ. મનમાં વિચાર કરી રાજાએ પિતાનો રાજ્યભાર મંત્રિઓને સોંપી દીધું અને પોતે એકલે તે નગરને ત્યાગ કરી એક ક્ષણવારમાં
તામ્રપુર નગર તરફ ચાલી નીકળ્યો. ૧૧૪ તેણે મનમાં વિચાર કર્યો કે:-“સર્વ મનુષ્ય ઉત્તમ વેષથી તથા સુંદર સ્વરૂપથી સર્વ ઠેકાણે માનસત્કારને પામે છે. ” માટે હું મારી આ પૂર્વ અવસ્થાનો સર્વથા ત્યાગ કરૂં.૧૧૫ તે પછી હેમરથે “કામરૂપિણી ” નામની વિદ્યાનું સ્મરણ કર્યું અને તેના પ્રભાવથી એક ક્ષણવારમાં પિતાના શરીરને તેણે કોઢીયું કરી મૂકયું. ૧૧૬ તેનું સ્વરૂપ છિન્નભિન્ન થયેલી નાસિકાવાળું, અત્યંત સ્થૂલ અધરોષ્ઠવાળું, નીકળી પડેલી બન્ને આંખવાળું, મોટા મોટા કાનવાળું, અત્યંત બીહામણું, સડી ગયેલી હાથપગની આંગળીઓવાળું, ફૂટી નીકળેલી ફોલ્લીઓમાંથી નીકળતા દુર્ગધી પરથી વ્યાપ્ત અવયવોવાળું અને બણબણું રહેલી માખીઓથી ઉભરાઈ રહેલું બની ગયું. આ રીતે તે કઢીયાના સ્વરૂપવાળ થઈ ગયો. ૧૧૭-૧૧૮
( ૧૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org