________________
પ્રસ્તાવ ૧.
અહિંસા એ પ્રથમ પુષ્પ છે, ઈન્દ્રિયનિગ્રહ બીજું પુષ્પ છે, પ્રાણું માત્ર ઉપર દયા રાખવી તે ત્રીજું પુષ્પ છે, ભાવ અથવા શ્રદ્ધા એ ચોથું પુષ્પ છે, ક્ષમા પાંચમું પુષ્પ છે, ક્રોધનો ત્યાગ કરવો તે છઠું પુષ્પ છે, જ્ઞાન એ સાતમું પુષ્પ છે, અને ધ્યાન તે આઠમું પુષ્પ છે. આ આઠ પુષ્પ વડે ત્રિપુરા દેવીનું સદા પૂજન કરવું અને એ રીતે જે પૂજન કરે છે, તેને જ્ઞાન તથા મેક્ષ પ્રાપ્ત થાય છે, એમ ભેરવે કહ્યું છે. ૮૨-૮૪ આ પ્રમાણે હે દેવ! ધર્મની માતા અને પાપિને દૂર કરનારી જીવદયાને સર્વશાસ્ત્રોમાં માન્ય ગણેલી છે. કેમકે - __ “ न सा दीक्षा न सा भिक्षा न तद्दानं न तत्तपः ॥
न तज्ज्ञानं न तद्धयानं दया यत्र न विद्यते " ॥८६॥
જ્યાં દયા નથી તે દીક્ષા ન કહેવાય, ભિક્ષા ન કહેવાય, દાન ન કહેવાય, તપ ન કહેવાય, સાન ન કહેવાય કે ધ્યાન ન કહેવાય. ૮૬ આ જીવદયાનું સારી રીતે પાલન માત્ર જેનેજ કરે છે, કેમકે તેઓ માંસ ભક્ષણ કરનારા હોતા નથી, પણ માંસ ભક્ષણમાં લાલચુ અને ક્રૂર મનવાળા પુરુષો, તે જીવ દયાને સ્વીકાર કરતા નથી. ૭ માંસનું ભક્ષણ કરનારા મનુષ્ય વિના બીજા કોઈ પણ જીવઘાતક હોતા નથી. માટે માંસ ભક્ષણ કરનારો મનુષ્ય, સર્વજીવના વધથી ઉત્પન્ન થનારા પાપવડે લેપાય છે–અર્થાતુ માંસભક્ષક પુરૂષ સવૈજીવ વધનો પાતકી છે.”૮ એ સાંભળીને રાજાનો આંતરિક વિવેક સ્પષ્ટ સ્વરૂપમાં ઉદય પામ્યો. પછી તેણે કહ્યું કે, “અરેરે ! હે શ્રેષ્ઠી! અમે માંસ ભક્ષણ કરનારા, ઘણું ઘણું પાપ કરીએ છીએ, અમારી શી ગતિ થશે ?૮૯ અમે માંસ ભક્ષણ કરવામાં આસક્ત છીએ અને તેથીજ હમેશાં શિકાર કરવામાં તલ્લીન રહીએ છીએ. ખરેખર, તલમાં જેમ કાળા તલ અસંખ્ય હોય છે તેમ, અમારામાં પાપ પણ અસંખ્ય છે.” રાજાનાં એ દીન વચન સાં
(૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org