________________
પ્રસ્તાવ ૧,
પૂર્ણ કળશો હોય તેવા શોભે છે. હે દેવ આજે નગરમાં તે ઋષભદેવ ભગવાનની રથયાત્રા થવાની છે માટે આપ જીવહિંસાનું નિવારણુ કરે,” એમ મહાજન પ્રાર્થના કરે છે. ૭૧ તે સાંભળી રાજા હસી પડ્યો, તેણે શ્રેષ્ટિ પ્રત્યે કહ્યું કે, “હે શ્રેષ્ટિ ! આ વાણુઓના ધર્મમાં અહિંસાની ઘોષણું પ્રથમ કરાવવામાં આવે છે અને બીજા કાર્ય પછી કરવામાં આવે છે. શ્રેષ્ઠીએ કહ્યું:–“ આ ધર્મ વાણીઆઓને છે, એમ જે આપ કહો છો તે યોગ્ય નથી. કેમકે ગંગાનું તીર્થ શું કાઈના બાપનું છે ? ૭૩ જે પ્રાણું ધર્મ કરે છે તેને જ તેનું ફળ મળે છે. જેમ દાખલા તરીકે, જે મનુષ્ય ભોજન કરે છે તેજ તેથી તૃપ્ત થાય છે, બીજે નહિ.૭૪ માટે આ ધર્મને તો સત્ત્વશાળી ક્ષત્રિયોજ આચરી શકે છે, નહિ કે ત્રીજો ભાગ ઓછી માટીથી ઉત્પન્ન થયેલા વાણુઆઓ આ ધર્મનું સારી રીતે આચરણ કરી શકે છે! ૭૫ હે દેવ ! ચાલુ આરામાં જે જિનેશ્વરે, વાણીઆઓના આરાધ્ય દેવ છે અને ભવિષ્યમાં જેઓ થશે તેઓ સર્વે ક્ષત્રિયોના કુળમાંજ ઉત્પન્ન થાય છે. આ ધર્મ ક્ષત્રિયાનાજ કુળક્રમથી ઉતરી આવેલ હોઈને ક્ષત્રિયોનો પિતાનેજ છે, પણ ચાલુ સમયમાં વાણુઆઓ કોશાધ્યક્ષ તરીકે થઇ રહ્યા છે. ”99
વેસટને અહિંસાવિષયક ઉપદેશ આવા હેતુથીજ વાણુઆએ પ્રથમ અમારિની ઘોષણા કરાવે છે, કેમકે હે દેવ ! પ્રાણુઓની રક્ષા તેજ ધર્મનું મૂળ કહેવાય છે.૮ મહાભારતમાં પણ કહ્યું છે કે
" वरमकस्य सत्त्वस्य दत्ता ह्यभयदक्षिणा ॥
न तु विप्रसहस्रेभ्यो गोसहस्रमलंकृतम् ॥७९॥ * આ વાક્યને સ્પષ્ટભાવ જણાતો નથી, તેથી માત્ર શબ્દાર્થ જ આપે છે.
( ૧૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org