________________
મહાજનની અમારિ માટે યાચના
અને હું સમર્થ રાજા ! તમારી પ્રસન્ન દષ્ટિરૂપ વૃષ્ટિથી સિંચાઇને અમારા મનરૂપી પૃથ્વી રેામાંચને બહાને ખરેખર અંકુરિત થઇ છે. ૬૦-૬૧એટલુંજ નહિ પણ હે રાજા ! આપના અનુગ્રહ અને પ્રિયભાષણરૂપ અમૃતપાનથી આંતરિકરીતે તૃપ્ત થયેલું મારૂં ભાગ્ય હવે ફળ-ફૂલવાળુ થયું છે કૃતાર્થ થયું છે એમ મને જણાય છે. ”૬૨ એ પ્રમાણે ચતુરાઈ ભરેલી વાતચીત કરવામાં રાજા અને શ્રેષ્ઠી રાકાયા હતા તેવામાં છડીદારે એકદમ આવીને નમન કરી રાજાને આ પ્રમાણે જણાવ્યું ૬૩
મહાજનની અમારિ માટે યાચના.
66
૬૪ *
હે દેવ ! સર્વે મહાજન એકઠું મળીને સિંહદ્વારમાં ( દરબારગઢમાં પ્રવેશ કરવાના મુખ્ય દરવાજામાં ) આવ્યું છે, અને મારી મારફત આપને વિનંતિ કરે છે કે, આ નગરમાં ઋષભસ્વામીનું એક ઉત્તમ દેરાસર છે, તેની ચેાબાજુ ફરતી બાવન દેહેરીરીએથી તે શાલી રહ્યું છે. ૬પ એ દેરાસરમાં મૂળનાયકજીની જ્યારે આરતી થાય છે ત્યારે, કરતી બાવન દેહેરીઓમાં પણ તેજ પ્રમાણે થાય છે. ૬૬ પ્રત્યેક વર્ષના ત્રણસે ને સાઠે દિવસે શ્રાવકે તે દેરાસરમાં નિત્ય અઠાઈ આચ્છવા કર્યાં કરે છે. ૬૭ તેના શુકનાસ ઉપર મુખ પડાળું કરીને બેઠેલા સિંહે, જાણે ફાઇ
પાપી મનુષ્યને આવતા જોઈ તેને મારવા માટે તૈયાર થયા હોય તેવા દેખાય છે. ૬૮ તેના આગળના ભાગમાં ઉંચા અને વિશાળ એક રંગમંડપ તૈયાર કરવામાં આવ્યા છે કે જે પુણ્યલક્ષ્મીની પુત્રીના સ્વયંવર માટેજ જાણું તૈયાર કર્યાં હેાય તેવા દેખાય છે.૬૯એ દેરાસરના શિખર ઉપર ઉપરાઉપરી સુવર્ણકળશેા સ્થાપવામાં આવ્યા છે, કે જેએ પુણ્યલક્ષ્મીની પધરામણીના ઉત્સવ નિમિત્તે સ્થાપી મૂકેલા.
Jain Education International
( ૧૧ )
(
For Private & Personal Use Only
www.jainelibrary.org