SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧ વળથી રાજમહેલ તરફ ગયો. ત્યાં દ્વારપાલે તેને માર્ગ બતાવ્યો એટલે તેણે રાજાની પાસે જઈને પ્રથમ પ્રણામ કર્યા. અને પછી સર્વ ભટણ રાજાને નિવેદન કર્યા. ૫૦ રાજા, તેણે અર્પણ કરેલાં ભટણથી પ્રસન્ન થયા અને સ્વાગત પ્રશ્ન પૂછી, સામે દષ્ટિપાત કરી શ્રેષ્ઠિને તેણે સંતો તથા વસ્ત્રાલંકારાદિકથી તેનું સન્માન કર્યું. ૧૧ પછી રાજાએ પૂછયું કે “હે શ્રેષ્ટિ ! તમે કયાંથી આવ્યા છે ? અહીં શા માટે આવ્યા છે ? ” આના ઉત્તરમાં શ્રેષ્ટિએ કહ્યું કે, “ હે મહારાજા ! આપની કીર્તિ સમગ્ર જગતમાં સર્વત્ર વિચરી રહી છે, અને પ્રસન્ન થયેલી એક ભાટણની પેઠે આપના ગુણોની શ્રેષ્ઠતા સર્વ ઠેકાણે ગાઈ રહી છે. ૫૨ –૫૩ આજ કારણથી હે મહારાજ ! આપના ગુણોને લીધે જાણે આયા હોય તેમ સર્વ દેશોમાંથી સમગ્ર મનુષ્ય પોતાની મેળેજ આપની સમીપમાં આવ્યા કરે છે. ૫૪ હું પણું હે દેવ ! એજ પ્રમાણે આપના ગુણોથી આકર્ષાઈને શ્રેષ્ઠ ઉપકેશ નગરથી અહીં આવ્યો છું અને આપના ચરણમાં નિવાસ કરવા ઈચ્છું છું.”૫૫ શ્રેષ્ઠિનું એ વચન સાંભળી સાહસિક રાજા પણ, અન્ય ન્ય મળતી દાંતની કાંતિ અને નેત્રના અવલોકનથી સભાને ઝળાહળ કરતો બેલી ઉઠયો કે, ૫ “આજે સુંદર શરીરવાળા આપપુરુષરત્નરૂપ-સમુદ્ર સાથે સમાગમ થયે તેથી આ નગર ખરેખર શેભી નીકળશે. પણ જેમ એક રાજહંસના સામીપ્યથી સરોવરની અપૂર્વ શોભા થાય તેમ, તમારા આવવાથી આ નગરની અપૂર્વ શેભા થઈ છે.પ૮ માટે હે શ્રેષ્ટિ ! તમે મારા આ નગરને શોભાવ, તમારી પાસેથી હું કોઈપણ જાતનો કર લઈશ નહિ; વળી તમારે અહીં આવવામાં બીજું જે કંઈ પ્રયોજન હોય તેને પણ તમે સુખેથી કહો.” પ૯ એ પ્રમાણે રાજાની કૃપાથી શ્રેષ્ઠી અત્યંત પ્રસન્ન થયો. તેણે ફરી આ પ્રમાણે કહ્યું “હે રાજ! આવા પ્રકારના ગુણોથી તમે જગતના ચિત્તને વશ કર્યું છે, તે ખરેખર યોગ્ય જ છે ( ૧૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy