SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વેસટ અને જૈત્રસિંહને સમાગમ વેસટ કિરાટકૂપ નગરમાં સ્વચ્છ અંતઃકરણવાળો અને પાપરહિત તે વસટ, માર્ગમાં ઘણી ઝડપથી ચાલવા માંડયો અને જોતજોતામાં “કિરાટકૂપ” નામના નગરમાં આવી પહોંચ્યો.૪૩ કિરાટકૂપ નગરનું વર્ણન. એ નગરમાં ચારે દિશાએ દેવાલયાપરની પતાકાઓ ફરકી રહી હતી અને તે પતાકાઓ દ્વારા એ નગર, સર્વદિશાઓમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને પિતાની સમીપ જાણે બેલાવી રહ્યું હોય તેવું લાગતું હતું. ૪૪ તે સ્થળે રાજહંસ વગેરે પક્ષીઓ વાવોમાં કલ્લોલ કરી રહ્યાં હતાં અને પિતાના શબ્દ દ્વારા મુસાફરેને (વાવોના) જળની સુંદરતા જાણે કહી રહ્યાં હોય, એમ જણાતું હતું. વળી ત્યાં અગરના ધૂપ અવિચ્છિન્ન રીતે બળી રહ્યાં હતા અને તેને ધૂમાડો ગોટેગોટ આકાશમાં ભરાઈ રહેતો, જેથી સદાકાળ વર્ષાકાળની રાત્રિએ જાણે મેઘ ચઢી આવ્યા હોય તે દેખાવ થતો હતો. ૬ જુદા જુદા દેશોમાંથી આવેલા સંખ્યાબંધ સાર્થવાહે (વેપારીઓ-વણજારાએ) એ નગરની પડોશમાં આવીને વિશ્રાંતિ લઈ રહ્યા હતા. આવા પ્રકારના તે નગરને ખરેખર સાર્થક સંજ્ઞાવાળું જોઈને શ્રેષ્ઠી વેસટે ત્યાં સ્થિતિ કરવાનો મનમાં વિચાર કર્યો.૪૭ જૈત્રસિંહ નામે કિરાટકૂપ નગરને રાજા, એ નગરમાં જૈત્રસિહ નામનો મહાબુદ્ધિમાન રાજા રાજ્ય કરતો હતો. તે પરમારવંશમાં ઉત્પન્ન થયો હતો અને પોતાના પરાક્રમથી સમગ્ર શત્રુઓને તેણે ભયભીત કરી મૂક્યા હતા.૪ વેસટ અને જૈત્રસિંહને સમાગમ. શ્રેણી વેસટે પિતાના પરિવારને નગરના ઉપવનના (બગીચાના) સીમાડામાં મૂકયો અને પોતે કેટલાએક ભેટનું લઈને ઉતા ( ૮ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy