________________
પ્રસ્તાવ ૧.
કુબેરમાં રહેલું કુબેરપણું (એટલે નીચ વેરભાવ) તથા પિશાચપણું પ્રાપ્ત કર્યું ન હતું. (આટલી કુબેરમાં અને તેમાં વિશેષતા હતી.) ખરેખર તેના ગુણોનો સ્વભાવ કઈક અલૌકિક હતો, કેમકે એકાદ વખતે પણ તેઓનું (ગુણનું) જે દર્શન થયું હોય તો તેઓ, બીજાના ગુણેમાં આસકત થયેલા હરકોઈના મનને ત્યાંથી મુકત કરે. (ગુણ એટલે દેરી, દેરીને સ્વભાવ બીજાને બાંધવાનો જ હોય છે. છતાં એ શ્રેષ્ઠિના ગુણનો સ્વભાવ બીજાને મુક્ત કરવાનો હતો, આવા આશયથીજ અહીં કહેવામાં આવ્યું છે કે, તેના ગુણેના સ્વભાવ કઈક અપૂર્વ–અલૌકિક હતા.)
વેસટને નાગરિકે સાથે વિરોધ. એ પ્રમાણે તે સર્વ પ્રકારે અત્યંત પ્રશંસાપાત્ર હતો, છતાં કોઈ સહજ કારણથી તેને નગરવાસીઓના અગ્રેસર સાથે વિરોધ થયો.૨૮ તે પછી શ્રેણી વેસટે આવી નીતિને મનમાં વિચાર કર્યો કે જે પ્રદેશમાં પરસ્પર વેર ઉત્પન્ન થયું હોય તે પ્રદેશમાં કદી વસવું નહિં.૩૯ આવો વિચાર કરી તે શ્રેષ્ઠ બુદ્ધિવાળો શ્રેષ્ઠી, તે નગરમાંથી નીકળી જવા માટે મનમાં તૈયાર થયો. કેમકે રાજાઓની બુદ્ધિ કોઈ કાળે શું સ્થિર હોય છે ?”
વેસટનું નગરમાંથી પ્રયાણ પછી જેમ એક ગોત્રી અથવા કુટુંબી મનુષ્ય પોતાના કુટુંબથી વિખૂટો પડે તેમ, એ શ્રેષ્ઠી પિતાનું સર્વસ્વ સાથે લઈને નગરથી વિખૂટો પડયો–ત્યાંથી ચાલી નીકળ્યો. ૪૧ રથમાં બેસીને ઘણાજ ઉત્સાહપૂર્વક ત્યાંથી તેણે ચાલવા માંડ્યું અને તે સમયે પોતાનાં કુટુંબી જનો સુંદરવાણુથી જેમ પ્રેરણા કરે તેમ, શુભ ભવિષ્યને સૂચવનારાં શકુનેએ તેને પ્રેરણા પણ કરી હતી–અર્થાત્ તે જ્યારે નીકળ્યો ત્યારે તેને ઘણું સારાં શકુનો થયાં હતાં
( ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org