________________
તે વખતે કઈકતો આનંદના આવેશથી નૃત્ય કરવા લાગ્યા, કઈ સ્તુતિ કરવા લાગ્યા, કોઈક તે કસ્તૂરી વગેરે લઈ વિલેપન કરવા લાગ્યા અને કેટલાક તો પુષ્પ વડે જિનની પૂજા કરવા લાગ્યા. એ પ્રમાણે ભવ્યજનોએ મહોત્સવ કર્યો. હવે દેશલ વજદંડનું સ્થાપન કરવા તૈયાર થયે. સિદ્ધસેનસૂરિને હાથને ટેકો આપી પુત્ર સહિત દેશલ ધ્વજદંડની સાથે આગળ ચાલ્યા અને પ્રાસાદના શિખર ઉપર ચઢી ગયો. ત્યાં તેણે કીર્તિની સાથે સૂત્રધાર દ્વારા દંડનું સ્થાપન કર્યું અને દંડની સાથે ધ્વજા બાંધી. તે સમયે વસ્ત્ર, સૌનેયા, ઘેડા, અલંકાર વગેરેનું યાચકોને દાન દીધું. સહજપાલ,સાહણ સમરસિંહ,સામંત અને સગણું એ પાંચે ભાઈઓએ ધનની વૃષ્ટિ કરી.
દેશલે ત્રણ છત્ર અને બે ચામર આદિજિનના ચિત્યમાં આપ્યા, તે સિવાય સુવર્ણના દંડયુક્ત અને રૂખ્યતત્ત્વના બનેલા બીજા બે ચામર પણ આપ્યા. મનહર સ્નાત્રના કુંભ, રૂપાની આરતી અને મંગળદી આપ્યા. ત્યાર પછી બધા જિનનો સ્નાત્રવિધિ કર્યો, અને ચંદનાદિવડે બીજા બધા જિનોની પૂજા કરી. ત્યાર પછી શ્રીસિદ્ધસેનસૂરિના ચરણને વંદન કરી તેમજ બીજા સુવિહિત સાધુને ભક્ત–પાન વડે પ્રતિલાશી પ્રાતઃકાલે પોતાના પુત્ર સહિત દેશલે પારણું કર્યું. ચારણ, ગાયક, અને ભાટને જમાડયા તથા જોગી, દીન, અનાથ અને દરિદ્રીઓના ભેજન માટે સત્રાકાર ખુલ્લું મૂકયું. એ પ્રમાણે હમેશાં દાન આપતા દેશલે દશ દિવસ સુધી ઉત્સવ કર્યો. અગિયારમે દિવસે પ્રાતઃકાળે શ્રીસિદ્ધસેનસૂરિના સ્વહસ્તે પ્રભુનું કંકણ છોડાવ્યું અને સુવર્ણના મુકુટ, હાર, શ્રીકંઠ, બાજુબંધ અને કુંડલાદિ પોતે કરાવેલા નવા અલંકાર પ્રભુને ચઢાવ્યા.
તે સિવાય બીજા પણ ભવ્ય જનોએ સુંદર સ્વજાઓ બાંધી અને જિનનું સ્નાત્ર કર્યું. સંઘમાં આવેલા પુરુષોએ પોતપોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org