________________
વારાને દિવસે મહાપૂજા અને દાનસત્રો કર્યા. દેસલે સંઘસહિત આદિજિનની આરતી ઉતારવાનો પ્રારંભ કર્યો. તેની બન્ને બાજુએ સાહણ અને સાંગણું ચામર ધારણ કરી તથા સામન્ત અને સહજપાળ કલશ ધારણ કરી ઉભા હતા. ત્યાર બાદ સમરસિંહે પિતાના નવ અંગે ચંદનના તિલક કયાં, લલાટે તિલક કરીને અક્ષત ચડ્યા અને ડેકમાં ફુલની માળા પહેરાવી. બીજા પણ સંઘના પુસ
એ ચંદન વડે પગે પૂજા કરી, કપાલે તિલક કરી અને આરતીની પૂજા કરી તેના કંઠે માળા પહેરાવી. જિનગુણુના ગાનારા ગાયકોને મહા મૂલ્ય સ્વર્ણના કંકણુ તુરંગ અને વસ્ત્રોના દાનથી સંતુષ્ટ કર્યા. દેશલશાહે આરતી કરીને મંગલદીપ ગ્રહણ કર્યો. ભાટે તે વખતે મોટા સ્વરે દેશલ અને સમરસિંહની બિસદાવલી બોલ્યા અને તેને તેઓએ પુષ્કળ દાન આપ્યું. ત્યાર પછી કપુર વડે મંગલદીપ કરી વાગતા વાદિત્રના શબ્દની સાથે ઉચ્ચસ્વરે મંગલદીપ બેલી, હાથ જોડી શક્રસ્તવ વડે આદિજિનની સ્તુતિ કરી. સિદ્ધસૂરિએ પણ શક્રસ્ત થયા બાદ આદિજિનની અમૃતાષ્ટક વડે સ્તુતિ કરી.
એ પ્રમાણે આદિજિનનો પ્રતિષ્ઠા મહોત્સવ કરી અભીષ્ટ કાર્યની સિદ્ધિથી ઉત્પન્ન થયેલા પ્રમોદ વડે દેશલે નૃત્ય કર્યું અને જિનની
સ્તુતિ કરી. ત્યાર પછી યુગાદિ દેવની રજા માગી દેશલ કપર્દિયક્ષને મંદિર ગયો અને ત્યાં નાળીએર અને લાપશી વડે યક્ષની પૂજા કરી, તેના મંદિરે ધ્વજા ચડાવી, તથા ધર્મકાર્યમાં સહાય કરવા તેની પ્રાર્થના કરી.
સંઘનાયક દેશલ શત્રુંજય તીર્થને વિષે વશ દિવસ રહી પુત્ર સહિત સિદ્ધસેનસૂરિની સાથે પર્વત ઉપરથી ઉતરવા તૈયાર થયો અને સર્વ અને નમી પ્રાતઃકાલમાં પર્વતથી નીચે ઉતરી સંઘના નિવાસ સ્થાને આવ્યો. સુંદરમોદક અને અનેક પ્રકારના શાક ઈત્યાદિ રસ
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org