SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પતિ આદિજિનનું સ્નાત્ર તેમણે સ્વયં કરાવ્યું અને અન્ય આચાયોએ પોતપોતાને યોગ્ય એવાં બીજાં સ્નાત્રો કરાવ્યાં. હવે લગ્નની ઘડી આવી પહોંચી એટલે શ્રી સિદ્ધસેનસૂરિ સાવધાન થઈને જતિષિકોએ કહેલું પ્રતિષ્ઠાનું લગ્ન સાધતા હતા. શુભ લગ્ન જિનપ્રતિમાને લાલ વસ્ત્રવડે ઢાંકીને તેની ચંદન અને સુગંધી દ્રવ્ય વડે પૂજા કરી. તે સમયે સમરસિંહ ગુરુની પોષધશાલાએ જઈને નન્દાવને પટ્ટ સુવાસિની સ્ત્રીના માથે મૂકી ગષભદેવના ચિત્યે આવ્યો. વારિત્રના શબ્દ તરફ પ્રસરવા લાગ્યા, લેકે જિનના ગુણ ગાવા લાગ્યા, સમરસિંહે મંડપની વેદિકાને વિષે નન્હાવર્તન ૫ટ્ટ મૂકો. સિદ્ધસેનસૂરિએ તેને પાથરી કપૂર વડે યથાવિધિ પૂજા કરી. ત્યાર પછી સિદ્ધસેનસૂરિ ગૃષભ જિનની પ્રતિમા પાસે આવી લગ્નની સિદ્ધિ માટે વિશેષ સાવધાન થયા અને લગ્નનો સમય પાસે આવ્યો જાણું રૂપાની કાળી અને સેનાની સળી હાથમાં લઇ તૈયાર થયા. જ્યારે ઋષભદેવ પ્રભુની પ્રતિષ્ઠાનો સમય તદ્દન પાસે આવ્યો ત્યારે લેકે ઉચ્ચ સ્વરે “સમય થયે છે” એમ ચોતરફ ઉદ્ઘેષણ કરવા લાગ્યા. બરાબર પ્રતિષ્ઠાના સમયે શ્રસિદ્ધસેનસૂરિએ જિનબિંબ થકી વસ્ત્ર ખસેડીને તેના બન્ને નેત્રમાં સૂર અને સાકરના યોગવાળું અંજન આક્યું અને વિક્રમ સંવત ૧૩૭૧ના માઘ માસના શુક્લપક્ષની ચૌદશ, પુષ્ય નક્ષત્ર અને સોમવારે મીન લગ્નમાં નાભિનંદન શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. પ્રથમ જાવાડિના ઉદ્ધાર સમયે શીવજીસ્વામીએ પ્રતિષ્ઠા કરી હતી અને ત્યારપછી આ સિદ્ધસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી. સિદ્ધસેનસૂરિની અનુજ્ઞાથી મુખ્ય પ્રાસાદના ધ્વજાદંડની વાચનાચાર્ય નાગેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. સર્વપુત્ર સહિત દેશલે ચન્દન અને બરાસવડે આદિજિનના શરીરને વિલેપન કરી તેની પાસે પકવાન્ન પ્રમુખ નૈવેદ્ય મૂક્યા. હર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy