________________
. સિદ્ધસેન
તોરણ બાંધ્યાં. સિદ્ધસેનસૂરિએ ગોરોચન, કેસર, કપૂર અને કસ્તૂરી પ્રમુખ મહામૂલ્ય વસ્તુઓ વડે પ્રથમ ચંદનનો લેપ કરી નાવતને પટ્ટ લખ્યો. .
હવે પાણીથી ભરેલી કુંડીમાં જ્યોતિષિકની ઘટીએ પાણીથી ભરાઈ જવાથી તળીએ બેસવા લાગી એટલે પ્રતિષ્ઠાનો સમય જાણું શ્રીસિદ્ધસેનસૂરિ જિનમંદિરે ગયા. તે સમયે બીજા આચાર્યો પણ પ્રતિષ્ઠા કરવા માટે તેની વિધિમાં સાવધાન થઈ મુખ્ય ચૈત્યને વિષે જઈ પોતપોતાના આસન પર બેઠા. સંઘપતિ દેશલ પુત્ર સહિત સ્નાન કરી વિશુદ્ધ વસ્ત્રો પહેરી લલાટમાં ચંદનનું તિલક કરી ચિત્યમાં ગયે.
તે વખતે બીજા શ્રાવકે પણ પોતપોતાના બિંબે લઈ હાજર થયા હતા. શ્રીસિદ્ધસેનસૂરિ આંગળીએ સુવર્ણની મુદ્રિકા અને હાથે કંકણ પહેરી દશાયુક્ત બે વસ્ત્ર ધારણ કરી જિનેશ્વરની સમુખ ઉભા હતા. 28ષભદેવની દક્ષિણ બાજુએ સાહસુસહિત દેશલ અને ડાબી બાજુએ સમરસિંહ સહિત સહજપાલ જિનને સ્નાત્ર કરાવવા સજજ થઈને ઉભા હતા. સામત અને સાંગણ બને ભાઈએ ચામર ધારણ કરી જિનની પાસે ઉભા હતા. કોઈની અશુભ દષ્ટિ ન પડે તે માટે જિનના કઠે અરિષ્ટ રત્નની માલા નાંખી હતી. ત્રિલોકનું રક્ષણ કરવા સમર્થ જિનના કરને વિષે રક્ષાનિમિત્ત રાખડી બાંધી હતી. કપૂર, ચંદન, ફળ, અક્ષત, પુષ્પ, ધૂપ ઈત્યાદિ પ્રતિઠાને યોગ્ય જે જે વસ્તુઓ જોઈએ તે બધી ગોઠવી આગળ મૂકી હતી. મિંઢળ સહિત ઋદ્ધિ અને વૃદ્ધિ એ બને ઔષધી જિનને હાથે બાંધી, અને ગુરુએ દેશલાદિ શ્રાવકેને હાથને વિષે કુસુબીસૂત્રે બાંધ્યું હતું.
આ પ્રમાણે પ્રતિષ્ઠાની બધી સામગ્રી તૈયાર થઈ એટલે સિદ્ધસેનસૂરિએ સ્નાત્રી પાસે સ્નાત્રનો પ્રારંભ કરાવ્યો, તીર્થ
એ વસ્ત્રને કા સાગર ના
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org