SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વૃક્ષરાજિ, પશુપક્ષીઓ અને પાણીના ઝરણા વડે શત્રુંજય પર્વત કુદરતી સૌન્દર્યથી ભરપૂર હશે. દેશલે સંઘસહિત શત્રુંજયતીર્થ ઉપર ચઢી પ્રથમ પ્રવેશમાં જેનો ઉદ્ધાર પોતેજ કરાવેલ હતું તે ભગવાન આદિનાથની માતાને જોયા અને તેની પૂજા કરીને તે શાંતિનાથના ચિત્યમાં ગયો. ત્યાં પૂજા કરી ત્યાંથી આદિનાથાદિ જિનના મંદિરે જઈ ત્યાં પૂજા કરી પિતે જેનો ઉદ્ધાર કરેલો છે એવા કપર્દિ યક્ષની મૂર્તિના દર્શન કરવા સંઘસહિત ગયો. ત્યાં ઉભા રહી ફરફરતી ધ્વજાવાળા ઋષભદેવના ચૈત્યને જોઈ પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. તે ચિત્યને એક દષ્ટિવડે અવલોકન કરતા તેણે આદિજિનના ચિત્યના સિંહદ્વારે જઈ ભગવાન યુગાદિ દેવને જોઈને હર્ષવડે પુષ્કળ ધનની વૃષ્ટિ કરી. હવે તે ચિત્યના મધ્ય ભાગમાં પ્રવેશ કરીને પિતે કરાવેલ આદિનાથને વંદન કરવાને ઉત્સુક ચિત્તવાળો દેશલ ભૂમિ ઉપર પડી પ્રણામ કરતે યુગાદિનાથની સમીપ આવ્યા અને ભક્તિથી આરિજિનને ભેટી પડશે. ત્યારપછી આદિજિનની લેણ્યમૂર્તિને પુષ્પથી પૂછ પ્રદક્ષિણું કરતાં તેણે અગણિત અહત બિંબની પૂજા કરી. ત્યાર પછી કુન્તીસહિત પાંડવોની પાંચ મૂર્તિને પૂજી રાયણની નીચે રહેલા યુગાદિ ભગવાનના પગલાને અને પોતે કરાવેલી લોકોને આશ્ચર્યકારક એવી મયૂરની મૂર્તિને જોઈને મોતી, મણિ અને સ્વર્ણની વૃષ્ટિ કરી. દેશલશાહે ત્યાં મહત્સવ કરી યાચકોને વસ્ત્રાદિક આપ્યા અને બાવીશ તીર્થકરને પૂછે તેની સર્વગત પ્રદક્ષિણું કરી. ત્યાર બાદ મસ્તક ભૂમિ ઉપર સ્થાપી આદિજિનને પ્રણામ કરી પિતાના સ્થાને પુત્ર સહિત આવ્યા, અને પ્રતિષ્ઠાવિધિ કરવા તત્પર થયો. તેણે પોતાના બીજા પુત્ર હોવા છતાં પણ સમરસિંહને પ્રતિષ્ઠાવિધિ કરવાનો આદેશ કર્યો અને તે પિતાને આદેશ મેળવી અત્યંત આનંદિત થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy