________________
એ પ્રમાણે અહર્નિશ પ્રયાણ કરતે સંઘ સેરીસા તીર્થે આવી
પહેર્યો. જ્યાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સેરિસ તીર્થ કાયોત્સર્ગ અવસ્થામાં વિરાજમાન છે. તે પ્રતિમાને
પહેલા સૂત્રધારે દેવના આદેશથી આંખે પાટા બાંધી એક રાત્રિમાં ઘડીને તૈયાર કરી હતી અને નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. જેઓ પોતાની મન્નશક્તિથી સમેતશિખરથી વીસ તીર્થંકરની પ્રતિમાઓ લાવ્યા હતા કે જેમાંની ત્રણે પ્રતિમાઓ અત્યારે કાન્તિપુરીમાં વિરાજમાન છે, તે દેવેન્દ્રસૂરિએ આ પ્રભાવિક તીર્થની સ્થાપના કરી હતી. દેસલ શાહે ત્યાં સ્નાત્ર અને મહાપૂજાદિ ઉત્સવ કરીને આરતી કરી અને દરેક મનુખ્યના ભજન માટે સત્રાકાર ખુલ્લું મૂકવું. ત્યાં અષ્ટાહિકેત્સવ કરીને સંઘે આગળ પ્રયાણ કર્યું અને ક્ષેત્રપુર (સરખેજ) થઈને સંઘ ધોળકા પહોંચ્યો. ત્યાંથી પ્રયાણ કરી દરેક ગામ અને નગરને વિષે ચિત્યપરિપાટી કરતો સંઘ અનુક્રમે પીપરાળી ગામ પહોંચ્યો અને ત્યાંથી શત્રુંજયગિરિને જોઈને અત્યંત હર્ષનિમગ્ન થયો. તે દિવસે દેશલે લાપશી કરી ચતુર્વિધ સંઘસહિત સમરસિંહને આગળ કરી શત્રુંજયગિરિની મહત્સવ પૂર્વક પૂજા કરી. તે વખતે ગિરિરાજના દર્શનના આનંદથી પરવશ થયેલા દેશલે અને સમરસિંહે અગણિત વાચકને પુષ્કળ દાન આપ્યું. ત્યાંથી બીજા દિવસે તીર્થરાજના દર્શન કરવાની ઉત્કંઠાથી શીઘ્ર પ્રયાણ કરીને શત્રુંજયની પાસે વસ્તુપાલની સ્ત્રી લલિતાદેવીએ કરાવેલા સરોવરને કાંઠે સંઘે પડાવ નાંખે. અને તેની ચારે બાજુ ઉજજવલ તંબુઓ અને રાવઠીઓ નંખાઈ ગઈ.
દેશલે આવતી કાલે શત્રુંજય ઉપર ચઢવાનો વિચાર સહજપાલ અને સાહણ કર્યો. તે સમયે એક માણસ વધામણી પાલનું સંઘસહિત લઈને આવ્યો કે, દેવગિરિ-દોલતાબાદથી આગમન સહજપાલ અને ખંભાતથી સાહપાલ
સંઘસહિત આવેલા છે. સંઘ ઉપરની
૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org