SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં જે જે પ્રસિદ્ધ શ્રાવઠો હતા તે બધા સમરસિંહના અનુરાગથી સંઘ સાથે આવ્યા હતા. એમ બીજા દેશના સો આવી ગયા પછી દેશલે આગળ સંઘસહિત પ્રયાણ શરૂ કર્યું. તે બધામાં જત્રસિંહ, કૃષ્ણ, લંદુક અને હરિપાલ એ સંઘના અગ્રણી હતા. હવે સંઘના પ્રયાસમયે અલપખાનની રજા માગવા માટે મોટી ભેટ લઈને સમરસિહ રાજમંદિરે ગયો અને તેણે ખાનની પાસે ભેટ મૂકી રજા માગી. ખાને સંતુષ્ટ થઈ તેને ઘેડા સહિત તસરિણા આપી સમરસિંહે સંઘની રક્ષા માટે જમાદાર માગ્યા અને ખાને ખરેખર યમના પુત્રો જેવા મહામીર જાતિના દશ મુખ્ય જમાદારે આપ્યા. તેઓને લઈ સમરસિંહ પાછળથી સંઘને મળે. સહજપાલનો પુત્ર સેમસિંહ સંઘની દેખરેખ રાખતો હતો અને સમરસિંહ પણું ભજન અને પાગરણની જાતે સારસંભાળ રાખતો. સિલ્લાર જાતિના ઘડેસવાર રજપુતો વડે વીંટાયેલ સમરસિહ માથે છત્ર ધારણ કરી ઘોડા ઉપર ચઢ હતો, અને તેની આગળ ધનુષને ધારણ કરનારાઓની ટોળી ચાલતી હતી. સંઘના પ્રયાસમયે પ્રથમ શંખ વાગતો હતો અને પછી ભેરી અને તાંસાએ વાગતા હતા. સ્પર્ધાપૂર્વક ચાલતા બળદો વડે ગાડાંઓ ચાલતા હતા. અને ભિગ્રહ ધારી ધાર્મિક પુરુષે પગે ચાલતા હતા. એટલે મેટે સંઘ હતો કે છૂટો પડી ગયેલો કોઈ માણસ પોતાનાં સંબધીને સ્થાને પહોંચ્યા સિવાય મળી શકતો નહિ. દરેક ગામના સો સંઘપતિ દેશલ અને સમરસિંહ પોતપતાના ગામની પાસે આવેલા જાણુને દહીં, દૂધ વગેરે લઈને સામા આવતા હતા અને સ્પર્ધાપૂર્વક સંઘને સત્કાર કરતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy