________________
વારોના સમૂહથી વીંટાયેલા ઉચ્ચ થવા ઉપર બેઠેલા ઇન્દ્રની જેમ શોભિત દેવાલયની પાછળ ચાલ્યા.
શંખારિકામાં સંઘપતિ દેશલે પડાવ નાંખે. હવે સમરસિહ સંઘના માણસો સાથે પુનઃ પાટણ આવી સંઘસહિત પિષધશાલામાં જઈ સર્વ આચાર્યોને વંદન કરી યાત્રા માટે આવવા પ્રાર્થના કરી, તથા દરેકના ઘેર જઈ સર્વશ્રાવકને પણ સંઘમાં આવવા આમન્ત્રણ કર્યું. તેઓ બધા સમરસિંહના ગુણથી ખેંચાઈ સર્વ સામગ્રી તૈયાર કરી સંઘમાં આવવા તૈયાર થયા.
સર્વસિદ્ધાન્તના પારગામી વિનયચન્દ્રાચાર્ય, બૃહદ્ગછના સ ઘમાં આચાર્ય આચાર્ય રત્નાકરસૂરિ, દેવસૂરિગચ્છના પત્રઅને મુનિએ.
ચન્દ્રાચાર્ય, ખડેરકગચ્છીય સુમતિચંદ્રાચાર્ય,
ભાવસારગર છીય વીરસૂરિ, સ્થારપદ્રગચ્છના સર્વદેવસૂરિ, બ્રહ્માણગચ્છીય જગતસૂરિ, નિવૃત્તિગચ્છીય આગ્રદેવસૂરિ, કે જેણે સમરારાસુ નામે રાસ કર્યો છે, નાણકગચ્છીય સિદ્ધસેનાચાર્ય, બ્રહદ્દગચ્છના ધર્મઘોષસૂરિ, નાગેન્દ્રગચ્છના પ્રભાનંદસૂરિ, હેમચંદ્રાચાર્યની પરંપરામાં થયેલ વજસેનાચાર્ય અને એ સિવાય બીજા ભિન્ન ભિન્ન ગ૭ના આચાર્યો દેશલના સંઘમાં યાત્રા માટે આવવા નીકળ્યા. ચિત્રકૂટ,વાળાક મારવાડ અને માળવાદિ દેશમાં જે જે પદસ્થ મુનિઓ હતા તે બધા સંઘમાં આવવા એકઠા થયા. શુભવાર અને શુભ લગ્ન સર્વે દર્શનના પારગામી સિદ્ધસેનાચાર્ય પણ સંઘમાં ચાલ્યા અને દેશલે તેને પ્રવેશોત્સવ કર્યો.. ધર્મધુરન્ધર સંઘપતિ જૈત્રસિંહ અને કૃષ્ણ દેશલના સ્નેહથી
ખેંચાઈને સંઘમાં સાથે ચાલ્યા. ચતુર હરિપાલ, સંઘમાં આવેલા સંઘપતિ દેવપાલ, શ્રીવત્સકુળના સ્થિરદેવના પુત્ર અગ્રણી શ્રાવકે. લંક સોનીમાં શિરોમણિ પ્રહાદન, સત્યનિષ્ઠ શ્રાવ
કોત્તમ સેઢાક,ધમ વીર વીરશ્રાવક તથા દીને દ્ધારક દેવરાજ ઇત્યાદિ શ્રાવક સંઘમાં આવવા નીકળ્યા. તે સિવાય બીજા
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org