________________
તે સિવાય જૂનાગઢથી મંડલિક રા જેને કાકા કહેતા હતા એવા બાલચંદ્ર નામના મુનિને માણસે મોકલીને શત્રુંજય બોલાવ્યા અને તેઓ તુરત આવ્યા. આવીને તેણે ગાડા પરથી ફલહી ઉતરાવી કારીગર પાસે પર્વત ઉપર ચડાવવાને યોગ્ય હલકી કરાવી. ત્યારપછી ચોરાશી સ્કન્ધવાહ-ખાંધે ઉપાડનારા પુરૂષોને એકઠા કરી લાકડા અને દેરડા વડે ફલહી બાંધી તેઓની ખાંધે મૂકી અને તેઓએ છ દિવસમાં શત્રુંજય પર્વતની ઉપર ચઢાવી દીધી. ત્યાર પછી પર્વત ઉપર તે ફલહીને તે કારીગરોએ ઘડવા
માંડી. સર્વવિદ્યાવિશારદ બાલચન્દ્ર મુનિ પણ બિંબનું ઘડવું. તેમને સૂચના આપતા હતા. પ્રતિમા ઘડીને
તૈયાર થયા બાદ તેને ઘસી તેજસ્વી કરી અને બાલચન્દ મુનિએ તે પ્રતિમાને મંગાવી મુખ્ય સ્થાને સ્થાપના કરી.
અહીં પ્રબન્ધકાર જણું છે કે, કેટલાએક અસહિષ્ણુ ખલ પુરૂષે દેશલના આ કાર્યની અદેખાઈ કરવા લાગ્યાં અને તેના સંસર્ગથી સજજન મનુષ્યો પણ દેશલથી વિરુદ્ધ થયાપણ સાહણપાલની બુદ્ધિથી અને સમરસિંહના સત્વથી એ બધું વિરેાધી વાતાવરણ થોડા વખતમાં શાન્ત થઈ ગયું. જે સજજને હતા તેઓ પિતાની ભૂલ સમજ્યા અને પ્રસન્ન થઈને દેશના તીર્થોદ્ધારના કાર્યમાં સહાય કરવા લાગ્યા. બાલચન્દ મુનિએ બિંબને મૂળ સ્થાને
સ્થાપી દેશલશાહને ખબર આપી. દેશલશાહે સમરસિંહને કહ્યું કે, હવે બિબની પ્રતિષ્ઠા કરી સ્વસ્થાનકે સ્થાપન કરીએ તો આપણું ઈષ્ટકાર્ય સિદ્ધ થાય, માટે ચતુર્વિધ સંઘસહિત યાત્રાએ જઈ પ્રતિષ્ઠા કરાવું અને કૃતકૃત્ય થાઉં.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org