________________
તે બન્ને પિતાપુત્ર પિષધશાળામાં શ્રી સિદ્ધસેનસૂરિને વન્દન
કરવા ગયા અને વંદન કરીને કહ્યું-“અમારો ઉદ્ધાર કાર્યની મનોરથરૂપ વૃક્ષ પહેલા આપના ઉપદેશરૂપી પૂર્ણાહુતિ. પાણીના સિંચનથી ઉગ્યો હતો, તે અત્યારે બિંબને
મૂળ સ્થાને સ્થાપવાથી ફલે—ખ થયો છે, હવે તેને પ્રતિષ્ઠાદિ કાર્યદ્વારા આપ સફળ કરો. છેલ્થકથી માંડી કલશ સુધી મુખ્ય પ્રાસાદનો ઉદ્ધાર પરિપૂર્ણ થઈ ગયો છે. તેની દક્ષિણ બાજુએ અષ્ટાપદની આકૃતિવાળું ચોવીશ તીર્થકરયુકત ચિત્ય પણ નવીન કરાવ્યું છે. બેલાનક મંડપમાં રહેલા સિંહનો પણ ઉદ્ધાર કરાવ્યો છે, તથા આદિજિનના પાછળના ભાગમાં વિહરમાન તીર્થકરેનું નવું ચૈત્ય પણ કરાવ્યું છે. સ્થિરદેવના પુત્ર સંદ્રકે ચાર દેવકુલિકા (નાના દેવમંદિર) અને જૈત્ર અને કૃષ્ણ નામે સંઘપતિએ જિનબિંબસહિત
આઠ દેવકુલિકા કરાવી છે. પૃથ્વીભટના કીર્તિસ્તંભરૂપ કટાકોટિનું ચિત્ય જે તુર્કોએ પાડી નાંખ્યું હતું, તેનો હરિશ્ચન્દ્રના પુત્ર કેશવે ઉદ્ધાર કર્યો છે. એ સિવાય બીજા નાના મંદિરોનો જે જે ભાગ પડી ગય કે નાદુરસ્ત હતો તે સર્વ જુદા જુદા સંઘના માણસેએ સમરાવ્યો છે. આ તીર્થ પૂર્વના જેવું થઈ ગયું છે કે જેનો પૂર્વ ભંગ થયો હતો તેમ જણાતું નથી. હવે માત્ર કલશ અને ધ્વજદંડ ચઢાવવા તથા અહલ્પતિમાઓની પ્રતિષ્ઠા કરાવવી બાકી છે. ઉત્તમ પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવે ત્યારે પ્રતિષ્ઠા કરવાનું ગુરુએ કહ્યું. ત્યાર પછી દેશલે પ્રતિષ્ઠાલગ્નનો નિર્ણય કરવા માટે ઘણું
આચાર્યો, જ્યોતિર્વિદ્દ બ્રાહ્મણે અને અગ્રણ પ્રતિષ્ઠા લગ્ન. શ્રાવકોને લાવ્યા અને તેઓને યોગ્ય આસને
બેસાડી પ્રતિષ્ઠા લગ્નનો નિર્ણય કરવા વિનતિ કરી. તે બધા શાસ્ત્રોએ મળી બધાની સંમતિથી નિર્દોષ એવું મુહૂર્ત નક્કી કર્યું. દેશલે મુખ્ય તિષિક પાસે કુંકુમપત્રિકા લખાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org