SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેની પણ પહેલાના જેવી જ દશા થઈ. આથી મન્ત્રીની ચિંતા ઘણું વધી અને તેણે સમરસિંહને આ સમાચાર મોકલ્યા. સમરસિંહ પણ આ સમાચાર સાંભળી વિચારમાં પડી ગયે, તેની નિદ્રા પણ ઉડી ગઈ. એટલામાં શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને સમરસિંહને કહ્યું કે, ઝંઝા નામે ગામમાં દેવતા અધિષ્ઠિત મજબૂત શકટ છે, તે તને મળશે એટલે તારું કાર્ય સિદ્ધ થશે.” સમરસિંહ ત્યાંથી શકટ મંગાવવાનો વિચાર કરે છે એટલામાં તે દેવીને પૂજારી આવ્યો અને તેણે કહ્યું કે, દેવીએ મને આદેશ કર્યો છે કે તું સમરસિંહને જઈને કહે કે, મારા ગાડાથી સુખપૂર્વક ફલહી લઈ જઈ શકાશે. સમરસિંહે તે શકટ મે કહ્યું અને તેમાં ફલહી ચઢાવી પિતાના દેશના સીમાડા સુધી વળાવી પાતામસ્ત્રી પાછા વળ્યા.ફલહી અનુક્રમે ખેરાલુ નામે ગામ પાસે આવી. ત્યાંના સંઘે ઉત્સવ કર્યો. બીજા દિવસે ફલહી આગળ ચાલી અને અનુક્રમે કેટલાક દિવસે ભાંડુ ગામે આવી. દેશલશાહ આ સમાચાર જાણું સિદ્ધસૂરિ અને પાટણના લોકે સહિત ફલહી જેવા ભાંડુ ગયા. ચન્દ્રમા સમાન સ્વચ્છ અને શદ્ધ ફલહીને જોઈ દેશલશાહ આનંદિત થયા અને ચંદનાદિ વડે તેની પૂજા કરી. બધા માણસોએ દેસલ અને સમરસિંહની ધર્મોદ્ધારક તરીકે પ્રશંસા કરી. લહી આગળ ચાલી એટલે પુત્ર સહિત દેશલ અને બીજા લોકો પાછા વળ્યા અને ઘેર આવ્યા. ફલહી દરેક ગામ અને નગરે પૂજાતી શત્રુંજયગિરિ પાસે આવી પહોંચી. તે વખતે પાલીતાણાના સંઘે સામા આવી તેને આગમોત્સવ કર્યો. દેશલ શાહના પરિવારે તેને વધાવી અને પાછા પાટણ જઈ દેશલશાહને ફલહી શત્રુંજય પહોંચ્યાના સમાચાર કહ્યા. દેશલે તે માણસને પાછા મોકલી પર્વત ઉપર ફલહી ચડાવવાની સૂચના મેકલી અને તેની સાથે પાટણથી બિંબ ઘડનાર સોળ બુદ્ધિમાન શિલ્પીને રવાના કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004852
Book TitleNabhinandan Jinoddhar Prabandh
Original Sutra AuthorKakkasuri
Author
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1928
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy